Bollywood News: વેબ સિરીઝ ‘પંચાયત 2’માં કામ કરી ચૂકેલી અભિનેત્રી આંચલ તિવારીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આંચલ ભોજુપરી પણ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ હતી.
આ અકસ્માતમાં અન્ય ભોજપુરી અભિનેત્રી સિમરન શ્રીવાસ્તવ અને ગાયક છોટુ પાંડેનું પણ મોત થયું હતું. ભોજપુરી સિનેમાના ચાર ઉભરતા કલાકારોનું પણ માર્ગ અકસ્માતમાં મોત થયું છે.
બિહારના કૈમુરમાં દેવકાલી ગામ પાસે જીટી રોડ પર રવિવારે સાંજે આ રોડ અકસ્માત થયો હતો.
સોમવારે સવારે મૃતકોની ઓળખ થઈ હતી. આ પછી, પોલીસે નિવેદન જારી કરીને મૃત્યુની પુષ્ટિ કરી. પ્રખ્યાત અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત