Business News: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે. તે પહેલા તેમનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન થવાનું છે. હવે આ લક્ઝુરિયસ પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ઘણી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આ વખતે સેલેબ્સનો મેળો ક્યારે અને ક્યાં યોજાશે અને કઇ અજીબ વસ્તુઓ જોવા મળશે તે હવે સામે આવ્યું છે. હવે વિશ્વના સૌથી પ્રખ્યાત કપલના મોસ્ટ અવેટેડ પ્રી-વેડિંગ ફંક્શનનો ખુલાસો થયો છે.
આગામી પ્રી-વેડિંગ ફંક્શન ક્યાં થશે?
કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના પુત્રના લગ્નના ફંક્શન વિદેશમાં યોજાનાર છે. આ વખતે, આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે અંબાણી પરિવારે પહેલા કરતા વધુ મોટી યોજનાઓ બનાવી છે. આ વખતે લક્ઝુરિયસ ક્રૂઝમાં ઉજવણી કરવામાં આવશે. હવે તે ક્રૂઝ ક્યાં હશે અને તેમાં કોને એન્ટ્રી મળશે તે બહાર આવ્યું છે. આવો જાણીએ આ વખતે અંબાણી પરિવારના ગેસ્ટ લિસ્ટમાં કોના નામ સામેલ છે.
ફંક્શન ક્યારે થશે?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજુ પ્રી-વેડિંગ ફંક્શન 28 મેથી 30 મે દરમિયાન યોજાવા જઈ રહ્યું છે. આ ઉજવણી ક્રુઝમાં 3 દિવસ સુધી ચાલશે. આ ક્રૂઝ લગભગ 4380 કિમીનું અંતર કાપીને ઇટાલીથી ફ્રાન્સ સુધીની મુસાફરી કરશે. ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો આ વખતે અંબાણી પરિવારે 800 લોકોને ગેસ્ટ બનવાની તક આપી છે. તે જ સમયે, આ 800 VIP મહેમાનોની સંભાળ રાખવા માટે લગભગ 600 લોકો અને સ્ટાફને રાખવામાં આવશે. રિપોર્ટ્સનું માનીએ તો દુનિયાભરમાંથી લગભગ 300 VIP મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી….
કયા સેલેબ્સને મળશે આમંત્રણ?
આ ફંક્શનમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પણ ભાગ લઈ શકે છે. જેમાં શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા નામ સામેલ છે. જામનગરમાં ગત વખતે જોવા મળ્યો હતો તેવો જ ઉત્તેજના આ વખતે ફરીથી આ ફંક્શનો સર્જશે. આ લક્ઝુરિયસ સેલિબ્રેશનને લઈને હજુ ઘણા મોટા ખુલાસા થવાના બાકી છે.