Bollyood News: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ સિંહને ગુમ થયાને 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી પોલીસ તેમને શોધી શકી નથી. જો કે, આ કેસની તપાસ ચાલી રહી છે અને દરરોજ નવા અપડેટ્સ આવતા રહે છે. હાલમાં પોલીસે અભિનેતાના પિતાની ફરિયાદને ધ્યાનમાં રાખીને અપહરણનો કેસ નોંધ્યો છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયબ થવું એ અભિનેતાનો પોતાનો જ પ્લાન હોવાની શંકા છે.
પોલીસને શંકા કેમ?
એક પોલીસ સૂત્રએ તેને જણાવ્યું કે તેણે પોતાનો ફોન પાલમમાં છોડી દીધો. અમે તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ફોન તેમની પાસે ન હોવાને કારણે તેમને શોધવાનું અમારા માટે વધુ મુશ્કેલ બની રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં અમે જોયું કે તે એક ઈ-રિક્ષાથી બીજી ઈ-રિક્ષામાં જઈ રહ્યો હતો. એવું લાગે છે કે તેણે બધું જ પ્લાન કર્યું હતું અને પછી દિલ્હીની બહાર નીકળી ગયો હતો.
ગુરુચરણને છેલ્લે ક્યારે જોવામાં આવ્યો હતો?
ગુરુચરણ છેલ્લે 22મી એપ્રિલે જોવામાં આવ્યો હતો. ચાર દિવસ બાદ તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં લખ્યું છે કે મારો પુત્ર ગુરુચરણ સિંહ ઉમર 50 વર્ષ 22મી એપ્રિલના રોજ સવારે 8.30 વાગ્યે મુંબઈ જવા નીકળતો હતો. તે ફ્લાઇટ માટે એરપોર્ટ ગયો હતો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો અને ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ લાગતો નથી. તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેની શોધ કરી છે, પરંતુ અમે તેને શોધી શક્યા નથી.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
તમને જણાવી દઈએ કે ગુરુચરણ સિંહને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દરેક ઘરમાં ઓળખ મળી હતી. જોકે, તેણે 2010માં આ શો છોડી દીધો હતો અને તે પછી તે કોઈ શોમાં જોવા મળ્યો નહોતો. શોમાં તેની જગ્યાએ હવે બલવિંદર સિંહ સૂરી કામ કરી રહ્યો છે. ગુરુચરણે આ પહેલા 2013માં શો છોડી દીધો હતો, પરંતુ તે પછી લોકોની માંગ બાદ તે પાછો આવ્યો હતો અને આ પછી વર્ષ 2020માં તેણે હંમેશા માટે શો છોડી દીધો હતો.