India News: રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દિવસ આપણા બધા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. દેશભરમાં જય શ્રી રામના ગુંજી ઉઠી રહ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા રાજકીય નેતાઓની સાથે-સાથે સેલિબ્રિટીઓ પણ અયોધ્યા પહોંચવા લાગ્યા છે.
आओ मेरे राम ।
आज परमपूजनीय श्री रामभद्राचार्य जी से भेंट हुई, उनका आशीर्वाद लिया।
उनके द्वारा आयोजित शास्त्रवत् सामूहिक हनुमान जी यज्ञ में भाग लिया।
अयोध्या धाम में श्री राम के स्वागत में सब राममयी हैं। कल अयोध्या के राजा लम्बे वनवास के बाद अपने घर आ रहे हैं ।
आओ मेरे राम, आओ… pic.twitter.com/XKxHHGIgh0
— Kangana Ranaut (@KanganaTeam) January 21, 2024
ભવ્ય મંદિરનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરીએ છે જ્યાં ભગવાન રામલલાની મૂર્તિ મૂકવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોલિવૂડ અને રમતગમતની જાણીતી હસ્તીઓને આમંત્રણ મળ્યું છે. કંગના રનૌત અયોધ્યા પહોંચી ચૂકી છે અને ખાસ હવનની સાથે તે અયોધ્યામાં રામભદ્રાચાર્યને પણ મળી હતી.
વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ, અયોધ્યામાં PM મોદી માત્ર 5 કલાક, જાણો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આયોજન
શું તમે જાણો છો રામ મંદિરની વાસ્તુ સાથે જોડાયેલી આ બાબતો? મંદિર આખરે કઈ શૈલીમાં બંધાઈ રહ્યું છે
કંગના રનૌતનું વર્ક ફ્રન્ટ
કંગના છેલ્લે ફિલ્મ ‘તેજસ’માં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. આ સિવાય તે ‘સીતા-ધ ઇન્કારનેશન’ માટે પણ હેડલાઇન્સમાં છે.