માધુરી દીક્ષિત અને અનિલ કપૂર ૮૯ અને ૯૦ના દશકાની સુપરહિટ જાેડીઓમાંથી એક છે. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમાંથી મોટાભાગની બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. મોટા પડદાં પર માધુરી દીક્ષિત અને અનિલ કપૂરને સાથે જાેવાનું ચાહકો પસંદ કરતાં હતા. ઓફસ્ક્રીન પણ બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી હતી. પરંતુ ૩૩ વર્ષ પહેલા માધુરી દીક્ષિતને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે અનિલ કપૂર સાથે લગ્ન કરશે ત્યારે તેણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
આટલું જ નહીં તેણે તેમ પણ કહ્યું હતું કે, તે અનિલ જેવા વ્યક્તિ સાથે લગ્ન કરશે નહીં. માધુરીએ તેના કો-સ્ટાર અને મિત્ર અનિલ વિશે આવી વાત કેમ કહી હતી? ૩૩ વર્ષ પહેલા ૧૯૮૯માં જ્યારે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં માધુરી દીક્ષિતને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે તેના કો-એક્ટર અનિલ કપૂર સાથે લગ્ન કરશે? ત્યારે જવાબમાં તેણે કહ્યું હતું ‘ના! હું તેના જેવા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું.
પહેલા તો એ કે તે વધારે સેન્સેટિવ છે અને હું ઈચ્છું છું કે, મારો પતિ શાંત હોય. જ્યાં સુધી અનિલની વાત છે તો મેં તેની સાથે ઘણી ફિલ્મો કરી છે અને તેથી તેની સાથે કમ્ફર્ટેબલ છું. હું તેની સાથે મારા કથિત અફેર વિશે મજાક પણ કરી શકું છું’. માધુરી દીક્ષિત અને અનિલ કપૂરે પહેલીવાર ડિરેક્ટ પ્રયાગ રાજની ફિલ્મ ‘હિફાઝત’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઘણી ફિલ્મમાં સાથે જાેવા મળ્યા. જેમાં ‘તેજાબ’, ‘બેટા’, ‘ખેલ’ અને ‘પરિંદા’ સહિતની કેટલીક ફિલ્મો સામેલ છે. બંને છેલ્લે ‘ટોટલ ધમાલ’માં સાથે દેખાયા હતા, જે ૨૦૧૯માં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અનિલ કપૂરે ૧૯૮૪માં સુનીતા કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંને ત્રણ બાળકોના માતા-પિતા છે- સોનમ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂર. અનિલ કપૂર ખૂબ જલ્દી નાના બનવાના છે, કારણ કે સોનમ પ્રેગ્નેન્ટ છે. ઓગસ્ટમાં તેની ડ્યૂ ડેટ છે. માધુરી દીક્ષિતનું કરિયર જ્યારે પીક પર હતું ત્યારે તેણે અમેરિકામાં રહેતા ડોક્ટર શ્રીરામ નેને સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. આ ૧૯૯૯ની વાત છે. લગ્ન બાદ તે અમેરિકા શિફ્ટ થઈ હતી. ૨૦૧૧માં તે ભારત પાછી આવી હતી અને ફિલ્મોમાં કમબેક કર્યું હતું. તે બે દીકરાની મા છે, જેનું નામ અરિન અને રિયાન છે.