નેટફ્લિક્સે ડિલીટ કરી નયનતારાની ફિલ્મ, ભગવવાન રામને લઈને કરાઈ હતી ટીપ્પણી

Desk Editor
By Desk Editor
Share this Article

Entertainment News: નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણી’ એક મોટી સમસ્યા બની રહી છે. ફિલ્મ અંગે શરૂ થયેલા વિવાદ પછી નેટફ્લિક્સ દ્વારા આ ફિલ્મ ડિલીટ કરી દેવામાં આવી છે. તેમ છતાં આ ફિલ્મને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઈને મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે, આ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિ જનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

ફિલ્મ અંગે 5 ફરિયાદો નોંધાઇ

આમ જોવા જઇએ તો છેલ્લા ઘણા દિવસોથી અન્નપૂર્ણી ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વચ્ચે નેટફ્લિક્સ દ્વારા ફિલ્મને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. ઉપરાંત અન્નપૂર્ણી ફિલ્મ વિરુદ્ધ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મમાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન તેમના દ્વારા કરેલા શિકારને લઈને અને નોનવેજ ખાવાને લઈને જે વાત કહેવામાં આવી છે તે આપત્તિજનક છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં કુલ 5 ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

વિદેશની જેમ દ્વારકામાં લોકો જોઈ શકાશે ડોલ્ફીન, સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડના MoU, જાણો વિગત  

કઇક આવી છે ફિલ્મની કહાની

આ ફિલ્મમાં નયનતારાના પિતા એક મંદિરમાં પૂજારી છે અને ભગવાન માટે પ્રસાદ બનાવે છે. જ્યારે નયનતારા ફિલ્મમાં માંસાહાર કરતી જોવા મળે છે અને તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. સાથે જ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે. આ બધી જ બાબતોને લઈને ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.


Share this Article