‘રામાયણ’નું શૂટિંગ ગુજરાતમાં જ થયું’તુ, આટલું બજેટ અને કમાણી આટલી, રામ સેતુનો સીન અસલી, જાણો અનોખા રહસ્યો

Lok Patrika
By Lok Patrika
Share this Article

Bollywood News: જ્યારે રામાનંદ સાગરની ‘રામાયણ’ દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી, તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે આ પૌરાણિક શો આઇકોનિક બની જશે. આ શો પહેલીવાર ઓન એર થયો તેને 36 વર્ષ થઈ ગયા છે. પરંતુ દર્શકોની માંગ પર, આ શો ટેલિવિઝન પર ઘણી વખત પ્રસારિત કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં જ્યારે ‘રામાયણ’ સિરિયલનું ટેલિકાસ્ટ થયું ત્યારે પણ આ સિરિયલની ટીઆરપી જબરદસ્ત આવી. આજે અમે તમને આ પૌરાણિક હિટ સિરિયલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

1. લોકો આજે પણ એ જ રસથી રામાનંદ સાગરની ‘રામાયણ’ જુએ છે. તેનો પ્રથમ એપિસોડ 25 જાન્યુઆરી, 1987ના રોજ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયો હતો. તમે તેના તમામ એપિસોડ YouTube પર પણ જોઈ શકો છો.

2. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘રામાયણ’ સિરિયલના એક એપિસોડનું બજેટ લગભગ 9 લાખ હતું. એટલે કે 78 એપિસોડ માટે 7 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે એક એપિસોડ 40 લાખ રૂપિયાની કમાણી કરી. એટલે કે નફો 31 કરોડ 4 લાખ રૂપિયા હતો.

3. આ શોનું શૂટિંગ ક્યાં થયું તે જાણવામાં ઘણા લોકો ખૂબ જ રસ લે છે. વાસ્તવમાં, ‘રામાયણ’નો સેટ ગુજરાતના સેન્સસ ટાઉન ઉમ્બરગાંવમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક સીન અલગ-અલગ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા હતા.

4. રામાયણના પહેલા એપિસોડનું શૂટિંગ લગભગ 15 દિવસ સુધી ચાલ્યું હતું. નવાઈની વાત એ છે કે તમામ ક્રૂ મેમ્બર્સ મોટાભાગે શૂટ લોકેશનમાં જ રહેતા હતા. તે જ સમયે, અહેવાલો અનુસાર, આ સમગ્ર શોનું શૂટિંગ 550 દિવસ સુધી ચાલ્યું હતું.

5. આ પહેલી સિરિયલ હતી જેમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુષ્પક વિમાન હોય કે હનુમાનનું ઉડતું દ્રશ્ય, બધામાં તેનો ભરપૂર ઉપયોગ થયો. લોકોને પણ આ દ્રશ્યો ખૂબ પસંદ આવ્યા.

ખેડૂતોને મોજ આવી ગઈ, અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ અનરાધાર વરસાદની આગાહી કરી, જાણો તારીખ અને વિસ્તાર

Breaking: સાળંગપુર મંદિરમાં આખરે વિવાદનો અંત, હનુમાનજીના ભીંતચિત્રો હટાવી લેવાયા, પોલીસનો ફૂલ બંદોબસ્ત

બર્લિનમાં ખુલવા જઈ રહ્યું છે સૌથી મોટું હિન્દુ મંદિર, 20 વર્ષ સુધી ચાલ્યું કામ; જાણો દરેક માટે ખાસ શા માટે છે?

6. જો કે આ સીરિયલનું મોટાભાગનું શૂટિંગ સેટ પર થયું હતું, પરંતુ રામ સેતુ સીનનું શૂટિંગ રિયલ લોકેશન પર થયું હતું. રિપોર્ટ્સનું માનીએ તો રામાનંદ સાગરે આ સીન ચેન્નાઈમાં શૂટ કર્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly