બોલીવુડના મશહૂર ફિલ્મમેકર કરણ જાેહરએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને મજેદાર ખુલાસો કર્યો છે. કરણ જાેહરે જેનિસ સિક્વેરાને આપેલા યુટ્યુબ ઇન્ટરવ્યુમાં ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. જેમાંથી તેમના ફેવરીટ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને લઈને એક સિક્રેટ હતુ. કરણ જાેહરે શો સોશિયલ મીડિયા સ્ટાર વિથ જેનિસમાં જણાવ્યું કે તેની પાસે એક વોટ્સએપ ગ્રુપ છે જેના મેમ્બર બનવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પ્રયાસ કર્યો પરંતુ એક ખાસ વ્યક્તિએ આ ગ્રૂપમાં તેમની એન્ટ્રી રિજેક્ટ કરી દીધી.
શું તમે જાણો છો તે વ્યક્તિ કોણ છે? તે અયાન મુખર્જી છે, જે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ખૂબ જ પ્રિય મિત્ર છે. હવે અયાન મુખર્જી આવું કેમ કરે તે નવાઈ લાગે તેમ છે. તો કરણે તેના ઈન્ટરવ્યુમાં આનુ કારણ પણ જણાવ્યુ. કરણ જાેહરએ કહ્યુ, એક વોટ્સએપ ગ્રૂપ છે જેનુ નામ એલિસ્ટ છે. આ ગ્રૂપના તમામ લોકોના નામ એથી આવે છે. જેમાં અમૃતા છે જે પ્રોડક્શન ડિઝાઈનર છે. અયાન મુખર્જી છે. આ ગ્રૂપમાં અમે ફિલ્મોના ટ્રેલર વિશે વાત કરીએ છીએ.
ફિલ્મ ૨ સ્ટેટસના ડાયરેક્ટર અભિષેક વર્મન હંમેશા તમામ નવી ફિલ્મોના ટ્રેલર નાખે છે. જેને જાેયા બાદ પછી અમે લોકો પોત પોતાનો રિવ્યુ આપીએ છીએ. આ ગ્રૂપમાંથી આગળ કંઈ ફોરવર્ડ કરવામાં આવતુ નથી. તેથી રણવીર કપૂર અને આલિયા ભટ્ટએ આનો ભાગ બનવાનો પૂરો પ્રયત્ન કર્યો છે પરંતુ અમે તેને રિજેક્ટ કરી દીધુ કેમ કે અયાન મુખર્જીએ કહ્યુ કે આ ગ્રૂપમાં કોઈ મૂવી સ્ટાર રહેશે નહીં કેમ કે અમારુ તેમની ફિલ્મને લઈને ઓપિનિયન હોઈ શકે છે.
તો આ કારણ છે કે રણવીર અને આલિયાને આ ગ્રૂપમાં એન્ટ્રી મળી નથી. રણબીર અને આલિયાએ ૧૪ એપ્રિલએ લગ્ન કર્યા છે. દંપતીએ આ લગ્ન ખાનગી રાખ્યા. રણબીર અને આલિયાના લગ્નમાં કરણ જાેહરએ મહત્વનો રોલ પ્લે કર્યો હતો. કરણ, આલિયાને પોતાની દિકરી માને છે તેથી કેટલીક ધાર્મિક વિધિઓની શરૂઆત તેમણે જ કરી હતી. કરણ લગ્નમાં ઘણીવાર ઈમોશનલ પણ થયા હતા.