Bollywood News: ભારતમાં ઘણી મુસ્લિમ હસ્તીઓ છે જેઓ હિન્દુ ધર્મના તહેવારો પણ ઉજવે છે. જો આપણે બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનની જ વાત કરીએ તો તે ધર્મ વિશે વધારે વાત નથી કરતા અને જ્યારે કરે છે ત્યારે કંઈક અલગ જ કહે છે. શાહરૂખ ખાન મુસ્લિમ છે અને તેની પત્ની ગૌરી હિન્દુ છે, તો શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? તેના બાળકો આર્યન, સુહાના અને અબરામ કયા ધર્મનું પાલન કરે છે? શાહરૂખના ઘરમાં કયા ધર્મનું પાલન થાય છે? આ તમામ સવાલો પર શાહરૂખ ઘણી વખત બોલ્યો છે.
શાહરૂખ-ગૌરીના બાળકો કયા ધર્મનું પાલન કરે છે?
શાહરૂખ ખાન અને ગૌરી ખાન હિન્દુ અને મુસ્લિમ તહેવારો એકસાથે ઉજવે છે. તેણે પોતાના બાળકોને હિંદુ અને મુસ્લિમ બંને ધર્મ વિશે જણાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર શાહરૂખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અમે કોઈ હિંદુ-મુસ્લિમ વિશે વાત નથી કરી. મારી પત્ની હિન્દુ છે અને હું મુસ્લિમ છું, જ્યારે મારા બાળકો હિન્દુસ્તાની છે. જ્યારે તેઓ શાળાએ જાય છે, ત્યારે તેમને ધર્મ વિશેનો પ્રશ્ન ભરવાનો હોય છે, તેથી જ્યારે મારી પુત્રી નાની હતી ત્યારે તેણે પૂછ્યું, પપ્પા આપણે કયા ધર્મના છીએ, ત્યારે મેં તેને કહ્યું કે આપણે ભારતીય છીએ. ત્યાં કોઈ ધર્મ નથી અને હોવો પણ ન જોઈએ.
એક અહેવાલ મુજબ શાહરૂખે એક અન્ય ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું મુસ્લિમ સંસ્કૃતિમાં ઉછર્યો છું, તેથી મને તે ગમે છે, પરંતુ રામલીલામાં વાનરની ભૂમિકા ભજવતી વખતે મેં હિન્દુત્વ પણ શીખ્યું હતું. ગૌરી સાથે લગ્ન કર્યા પછી તેણે મને ઘણું બધું જ્ઞાન આપ્યું છે. મારા ઘરમાં ગીતા અને કુરાન બંને છે, હું અને ગૌરી બાળકોને તેમના વિશે જણાવતા રહીએ છીએ. મારા ઘરમાં એક મિની ઈન્ડિયા રહે છે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
શાહરૂખ આગળ કહે છે, ‘જ્યારે હું નમાઝ પઢું છું ત્યારે મને જય રામચંદ્ર બોલવામાં કોઈ નુકસાન નથી દેખાતું. મેં મારા બાળકોને માનવતાનો પાઠ ભણાવ્યો છે અને હું ઈચ્છું છું કે તેઓ ગર્વ સાથે કહે કે અમે ભારતીય છીએ. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને વર્ષ 1991માં ગૌરી સાથે લગ્ન કર્યા, જેનાથી તેમને ત્રણ બાળકો સુહાના, આર્યન અને અબરામ ખાન છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2023માં શાહરૂખ ખાને ‘પઠાણ’, ‘જવાન’ અને સુપરહિટ ફિલ્મ ‘ડેંકી’ જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. હાલમાં શાહરૂખ પાસે ઘણા પ્રોજેક્ટ છે જેના પર તે કામ કરી રહ્યો છે.