મહિલાઓ પર શાહિદનું વાહિયાત નિવેદન, હવે ખરાબ રીતે ફસાયો, યુઝરે આડેહાથ લીધો અને મનફાવે એવી સંભળાવી

Lok Patrika
By Lok Patrika
Share this Article

શાહિદ કપૂર આ દિવસોમાં OTT પર રિલીઝ થયેલી ‘બ્લડી ડેડી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં શાહિદ ગુસ્સાવાળા યુવાનની ભૂમિકામાં છે અને તેમાં સંજય કપૂર, રોનિત રોય અને રાજીવ ખંડેલવાલ પણ છે. પરંતુ, તેની ફિલ્મ સિવાય, શાહિદ એક વસ્તુ માટે લાઈમલાઈટમાં છે અને તે છે ભૂતકાળમાં ‘પત્નીઓ’ પર તેનું નિવેદન. વાસ્તવમાં, શાહિદે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં તેના લગ્ન જીવન વિશે વાત કરી હતી, જેમાં તેણે કંઈક એવું કહ્યું હતું જેના માટે તે હવે ટ્રોલ થઈ રહ્યો છે. આવો તમને આખો મામલો જણાવીએ.

શાહિદ કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે લગ્ન પહેલા તેના ઘરમાં એક સમયે માત્ર બે ચમચી અને એક પ્લેટ હતી. પરંતુ, પત્ની મીરાના આવ્યા પછી તેણે ઘરમાં ઘણા ફેરફાર કર્યા. શાહિદે કહ્યું કે હવે મીરા અને તે ઘરના ઈન્ટિરિયરથી લઈને બધું મળીને નક્કી કરે છે. આ દરમિયાન શાહિદે જીવનમાં પત્નીઓની ભૂમિકા વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે લગ્ન એ એક એવી વસ્તુ છે જેમાં સ્ત્રી પુરુષને ઠીક કરે છે. શાહિદ પોતાના આ નિવેદનને લઈને ચર્ચામાં છે.

શાહિદે કહ્યું હતું કે, ‘લગ્ન માત્ર એક જ બાબત છે. કે જેમાંછોકરો બગડ્યો છે, અને તેના જીવનમાં એક છોકરી તેને ઠીક કરવા આવે છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે છોકરાનું આખું જીવન ફિક્સ અને સારા બનવાની સફર છે અને તેનું જ નામ જીવન છે.

આ પણ વાંચો

2000 Note: 1.80 લાખ કરોડની 2000ની નોટો RBI પાસે જમા થઈ ગઈ, હવે RBI આ નોટનું શું કરશે?

’17 વર્ષની ઉંમરે પણ છોકરીઓ બાળકને જન્મ આપતી હતી, કારણ કે…. ગુજરાત હાઈકોર્ટના જજે વકીલને કહ્યું

બિપરજોય વાવાઝોડું ભારતની એકદમ નજીક પહોંચી ગયું, ગુજરાત સહિત આટલા રાજ્યો માટે મોટો ખતરો, એલર્ટ જારી

પછી શું હતું, શાહિદ કપૂરના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. ઘણા યુઝર્સે અભિનેતાને રિયલ લાઈફ ‘કબીર સિંહ’ કહ્યો અને ઘણાએ તેને મેન ચાઈલ્ડ તરીકે ટેગ કર્યો. શાહિદના નિવેદન પર કટાક્ષ કરતા ઘણા યુઝર્સે સવાલ ઉઠાવ્યો છે કે શું મહિલાઓ માત્ર બગડેલા પુરુષોને સુધારવા માટે જ હોય છે?


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly