Entertainment News: શર્મિલા ટાગોર 70ના દશકમાં ટૉપ એક્ટ્રેસ રહી ચૂકી છે. પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. પરંતુ વાત તેના લગ્નની કરીએ તો શર્મિલાએ 1968માં ક્રિકેટર મનસૂર અલીખાન સાથે લગ્ન કર્યા હતા.
પ્રેમ પ્રસંગની ચર્ચા
લગ્ન પહેલા બન્નેના પ્રેમ પ્રસંગની જબરી ચર્ચા થતી હતી. જો કે, બન્ને કૉમન ફ્રેન્ડ મારફતે એકબીજાને પહેલીવાર મળ્યા હતા.
શર્મિલા ટાગોરે શું શરત રાખી?
ખૂબ ઓછા લોકો જાણે છે કે, શર્મિલા ટાગોરે લગ્ન પહેલા એક ખાસ શરત રાખી હતી. બાદમાં જ એક્ટ્રેસે મનસૂર અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે, એક્ટ્રેસને લગ્ન માટે મનાવવી એ મંસૂર માટે સહેલું કામ નહોતું.
શરતમાં પાર પડ્યો મનસૂર
VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન
VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
તે સમયમાં શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, જો મનસૂર 3 બોલમાં સતત 3 સિક્સર ફટકારશે તો તેની સાથે લગ્ન કરી લેશે. તેના બીજા જ દિવસે મનસૂર ખલીખાન પટોડીએ ક્રિકેટના મેદાનમાં સતત 3 સિક્સર ફટકારીને શર્મિલા ટાગોરનું દિલ જીતી લીધું હતું અને બાદમાં તેઓએ લગ્ન કર્યા હતા.