માધુરી દીક્ષિત બોલીવુડની ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી છે. કરોડો લોકો માધુરી દીક્ષિતના દીવાના છે. એક જમાનામાં જ્યારે માધુરી દીક્ષિત ડાન્સ કરતી હતી ત્યારે લોકોના દિલ ધડકવા લાગતા હતા. તમે માની પણ નહીં શકો કે, આટલી સુંદર અભિનેત્રીને કોઈએ રિજેક્ટ કરી દીધી હતી. એક સિંગરે માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમણે લગ્ન ન કરવાનું ખૂબ જ અજીબ કારણ જણાવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર માધુરી મહારાષ્ટ્રના કન્ઝર્વેટિવ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એક એવો પરિવાર જે છોકરીઓ કામ કરે તો તેમને ખોટી સમજવામાં આવે છે.
માધુરીના પિતા નહોતા ઈચ્છતા કે તેઓ ફિલ્મોમાં કામ કરે. તેમણે માધુરીની ખૂબ જ ઓછી ઉંમર હતી, ત્યારે તેમના માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું હતું. જેથી તેમના લગ્ન કરાવી દેવામાં આવે. માધુરી માટે અનેક છોકરા જાેયા બાદ માધુરીના પિતાની નજર સુરેશ વાડકર પર પડી. સુરેશ એ જ સિંગર છે, જેમણે ‘લગી આજ સાવન કી’, ‘તુમસે મિલકે એસા લગા’, ‘મેરી કિસ્મત મે તૂ નહી શાયદ’ અને ‘રામ તેરી ગંગા મેલી હો ગઈ’ જેવા પ્રખ્યાત ગીતો ગાયા છે. જે સમયે માધુરીના પિતાએ સુરેશ વાડકરની પસંદગી કરી હતી, તે સમયે તેમણે હજુ કરિઅરની શરૂઆત જ કરી હતી.
માધુરીના પિતાને સુરેશ વાડેકર માધુરી માટે પરફેક્ટ લાગ્યા હતા. માધુરી દીક્ષિત કરતા સુરેશ વાડકર ૧૨ વર્ષ મોટા હતા. તેઓ સિંગિંગમાં વધુ ફેમસ થયા ન હતા. તેમ છતાં માધુરીના પિતાએ સુરેશના લગ્ન માટેનું માંગુ મોકલ્યું હતું. જાેકે, સુરેશ વાડકરે માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાત ખૂબ જ શોકિંગ છે. સુરેશે જે કારણથી માધુરીને રિજેક્ટ કરી તે કારણ ખૂબ જ અજીબ છે. માધુરી ખૂબ જ દુબળી પાતળી છે, તેમ કહીને સુરેશે માધુરી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
આ વાત માધુરીના પિતા માટે ખરાબ હશે, પરંતુ માધુરી દીક્ષિત માટે આ વાત ખૂબ જ ખુશીની હતી. ત્યાર બાદ તેમને ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળી ગયો. તેમણે વર્ષ ૧૯૮૪માં ફિલ્મ ‘અબોધ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ તેજાબમાં ‘એક-દો-તીન’ ગીતથી ધૂમ મચાવી દીધી હતી. માધુરીના ફેન્સ આ ગીત આજે પણ યાદ કરે છે. કહેવામાં આવે છે કે, જે પણ થાય છે તે સારા માટે થાય છે. જાે માધુરી દીક્ષિતે તે સમયે સુરેશ વાડકર સાથે લગ્ન કરી લીધા હોત તો બોલીવુડ ઈન્ડસ્ટ્રીને આજે ધક ધક ગર્લ ન મળી શકી હોત.