Bollywood News: સીસીટીવી ફૂટેજમાં અભિનેતા સલમાન ખાનના મુંબઈ ઘરની બહાર ગોળીબાર કરતા જોવા મળેલા બે આરોપીઓમાંથી એક ગુરુગ્રામનો હોવાની શંકા છે. દિલ્હી પોલીસના સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી. મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર રવિવારે સવારે મોટરસાઈકલ સવાર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારના સંબંધમાં એફઆઈઆર નોંધી છે.
પોલીસે જણાવ્યું હતું કે તેમને અભિનેતાના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર એક મોટરસાઇકલ મળી આવી છે અને શંકા છે કે તેનો ઉપયોગ હુમલાખોરોએ કર્યો હતો. બાંદ્રા પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રા વિસ્તારમાં સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવી અને ભાગી ગયા. આ બિલ્ડિંગમાં અભિનેતા સલમાન ખાન રહે છે.
દિલ્હી પોલીસના એક સત્તાવાર સૂત્રએ કહ્યું કે એવી શંકા છે કે આરોપીઓમાંથી એક ગુરુગ્રામનો છે, જે હરિયાણામાં હત્યા અને લૂંટની અનેક ઘટનાઓમાં સામેલ છે. તે માર્ચમાં ગુરુગ્રામ સ્થિત બિઝનેસમેન સચિન મુંજાલની હત્યા કેસમાં વોન્ટેડ છે. વિદેશી ગેંગસ્ટર રોહિત ગોદરાએ કથિત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુંજાલની હત્યાની જવાબદારી લીધી હતી. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, તેના ભાઈ અનમોલ અને ગોલ્ડી બ્રારનો નજીકનો સહયોગી છે.
રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારના કલાકો પછી અનમોલ બિશ્નોઈએ એક કથિત ઓનલાઈન પોસ્ટ દ્વારા આ ઘટનાની જવાબદારી સ્વીકારી અને બોલીવુડ અભિનેતાને ચેતવણી આપી કે તે ટ્રેલર હતું. ગયા વર્ષે માર્ચમાં, અભિનેતાની ઑફિસને એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો જેમાં ખાનને ધમકી આપવામાં આવી હતી, જેના પગલે મુંબઈ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને અન્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ દાખલ કર્યો હતો. કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પ્રશાંત ગુંજલકરે બાંદ્રા પોલીસને આપેલી ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુંજલકર અવારનવાર ખાનના બાંદ્રા સ્થિત ઘરે જાય છે અને એક આર્ટિસ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. પોલીસે અગાઉ કહ્યું હતું કે ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે ખાને લોરેન્સ બિશ્નોઈ દ્વારા ન્યૂઝ ચેનલને આપેલો ઈન્ટરવ્યુ જોયો જ હશે અને જો તેણે ન જોયો હોય તો તેણે જોવો જોઈએ.
સંન્યાસને લઈ ખુદ રોહિત શર્માએ કર્યો સૌથી મોટો ધડાકો, કહ્યું- 2025માં ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ..
ઈ-મેઈલમાં ગુંજલકરને કહેવામાં આવ્યું હતું કે જો ખાન આ મામલો બંધ કરવા ઈચ્છે છે તો તેણે ગોલ્ડીભાઈ સાથે રૂબરૂ વાત કરવી જોઈએ. પોલીસના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે હજુ સમય છે, પરંતુ આગામી સમયમાં ઝાટકો લાગી શકે છે. પોલીસે કહ્યું હતું કે જૂન 2022માં એક અજાણ્યા વ્યક્તિએ હાથથી લખેલા પત્ર દ્વારા ખાનને ધમકી આપી હતી.