ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી નીલુ કોહલીના પતિ હરમિંદર સિંહનું નિધન થઈ ગયું છે. તેમનો મૃતદેહ ઘરના બાથરૂમમાંથી મળ્યો. અભિનેત્રીના પતિ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું કહેવાય છે.
નીલુ કોહલીના પતિનું નિધનઃ ટીવી અને ફિલ્મોમાં ફેમસ અભિનેત્રી નીલુ કોહલીના પતિ હરમિંદર સિંહનું શુક્રવારે નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર નીલુના પતિ હરમિંદર પૂરી સંપૂર્ણપણે સ્વસ્થ હતા. તેઓ શુક્રવારે બપોરે ગુરૂદ્વારા પણ ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ બાથરૂમમાં ગયા હતા અને ત્યાંજ પડી ગયા. તે સમયે ઘરમાં માત્ર નોકર હાજર હતો. નોકરે જ નીલુના પતિને બાથરૂમમાં બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ચુક્યું હતું.
નીલુની મિત્રએ અભિનેત્રીના પતિના મૃત્યુની પુષ્ટિ કરી હતી
મીડિયા રીપોર્ટ્સના જણાવ્યા મુજબ નીલુની સૌથી નજીકની મિત્ર વંદનાએ અભિનેત્રીના પતિના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમને જણાવ્યું કે તે સમયે ઘરમાં માત્ર નોકર હાજર હતો અને તે જમવાનું તૈયાર કરી રહ્યો હતો. નોકર હરમિંદર પૂરીને બાથરૂમથી પરત આવવાની રાહ જોઈ રહ્યો હતો. જેથી તેમને જમવાનું આપી શકે.
લાંબા સમય બાદ પણ હરમિંદર બાથરૂમમાંથી બહાર ન આવ્યા ત્યારે નોકરે બેડરૂમમાં જઈને તપાસ કરી. તેને ત્યાં ન મળતાં તેણે બાથરૂમમાં તપાસ કરતાં હરમિંદર ત્યાં પડેલા જોવા મળ્યા. અભિનેત્રીની મિત્રએ તે પણ જણાવ્યું કે હરમિંદરને ડાયાબિટિસ હતું પણ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને આ બધુ બહું અચાનક થયું. રિપોર્ટ અનુસાર, નીલુની મિત્રએ પણ જણાવ્યું કે હરમિંદરના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે. કારણ કે તેનો પુત્ર હજુ બહાર છે, અભિનેત્રીના પતિના અંતિમ સંસ્કાર તેના આવ્યા પછી જ કરવામાં આવશે.
ગુજરાત પર હજુ એક દિવસ કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારોમા મેઘો મુશળધાર રીતે ખાબકશે, જગતનો ધાધ પાયમાલ!
નીલુએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે
જણાવી દઈએ કે નીલુ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે. નીલુએ હાઉસફુલ 2, પટિયાલા હાઉસ, હિન્દી મીડિયમ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તે વર્ષ 2020માં પીરિયડ ડ્રામા ફિલ્મ ‘જોગી’માં પણ દમદાર ભૂમિકા ભજવતી જોવા મળી હતી.