હજુ ઉતર્યો નથી કે શું આ લોકોને…. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળના લઠ્ઠાકાંડના 18 દર્દીઓ ગાયબ, ડોક્ટરને કહ્યાં વિના ભાગી ગયા

Lok Patrika
By Lok Patrika
Share this Article

લઠ્ઠાકાંડની બુમરાણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૧૮ જેટલા દર્દી ડૉક્ટરને કહ્યા વિના જ ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દીઓને શોધીને ફરી હોસ્પિટલ લાવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહીના ડરથી આ લોકો હોસ્પિટલમાંથી ભાગી ગયા હોવાની પણ ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, ઝેરી દારુ પી જવાના કારણે બીમાર પડી ગયેલા ૭૦થી વધુ દર્દી હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલ ઉપરાંત, અમદાવાદની સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આજ સવાર સુધીમાં અમદાવાદ સિવિલમાં ૩૭ દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.


ઝેરી દારુ પીવાથી સોમવાર રાતથી જ ઘણા દર્દીને સતત ઉલ્ટી થઈ રહી છે તેમજ તેમની તબિયત ગંભીર બની છે. ઘણા કિસ્સામાં તો પરિવારના એકમાત્ર કમાનારા વ્યક્તિનું મોત થયું છે અથવા તો હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. હાલ ૧૨થી વધુ દર્દીની હાલત અતિગંભીર ગણાવાઈ રહી છે. કેટલાક દર્દીને આંખે ઝાંખુ દેખાઈ રહ્યું છે, જાેકે અમદાવાદ સિવિલમાં હજુ કોઈ દર્દીની દ્રષ્ટિ જતી રહી હોય તેવું નથી બન્યું. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠો પીવાથી આંખો પર પણ ગંભીર અસર થાય છે અને વ્યક્તિ અંધ પણ બની શકે છે. સારવાર દરમિયાન દર્દીને જરુર પડે તો ડાયાલિસિસ પર પણ મૂકવામાં આવે છે.

ઝેરી દારુ પીવાથી જે લોકોના મોત થયા છે, તેમજ જે લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તેમાંના મોટાભાગના લોકો સાવ ગરીબ ઘરના મજૂરો છે. સોમવારે સાંજે બોટાદ અને અમદાવાદ જિલ્લાના ગામોમાં ઝેરી દારુ પીધા બાદ ટપોટપ લોકો બીમાર પડવા લાગ્યા હતા. ગણતરીના સમયમાં જ અહીં લઠ્ઠાકાંડ થયો હોવાની વાત ફેલાઈ ગઈ હતી. આજે લઠ્ઠાકાંડના ત્રીજા દિવસે પણ મોતનો તેમજ નવા દર્દીઓને દાખલ કરવાનો સિલસિલો નથી અટકી રહ્યો. જે ગામોમાં કેસ મળી આવ્યા છે ત્યાં હજુય એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈને જાે ઝેરી દારુની અસર જણાય તો તેને તાત્કાલિક હોસ્પિટલ લાવી શકાય.


રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે જે દારુ પીવાથી લોકોના મોત થયા છે તેમાં ૯૯ ટકા મિથેનોલ હોવાનું બહાર આવ્યું છે. આ ખતરનાક કેમિકલનો જથ્થો અમદાવાદની એક કેમિકલ ફેક્ટરીમાંથી ચોરવામાં આવ્યો હતો અને તેને બુટલેગરોને સપ્લાય કરાયો હતો. ત્યારબાદ આ કેમિકલને પાણી સાથે મિક્સ કરી દેવાયું હતું. આ મામલે બરવાળા, રાણપુર તેમજ ધંધૂકામાં ત્રણ ફરિયાદ દાખલ કરાઈ છે જેમાં ૧૪ લોકોનો નામજાેગ ઉલ્લેખ કરાયો છે અને ૮ લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

આ સમગ્ર કાંડમાં મુખ્ય આરોપી તરીકે જયેશ ખાવડિયાનું નામ સામે આવ્યું છે. જેની સામે હત્યા તેમજ પ્રોહિબિશનના કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, લઠ્ઠો પીવાથી વિપુલ ખાવડિયા નામના એક બુટલેગરનું પણ મોત થયું છે. બોટાદના રોજિડ ગામમાં અત્યારસુધી ૧૧ લોકોના મોત થઈ ચૂક્યા છે. લઠ્ઠાકાંડની સૌથી વધુ અસર આ ગામમાં જ જાેવા મળી છે. બીજી તરફ, ધંધૂકા તાલુકાના આકરુ ગામમાં ૧૦ સભ્યો ધરાવતા ચાવડા પરિવારના બે સગા ભાઈ કિશન અને ભાવેશ પણ લઠ્ઠો પીવાથી મોતને ભેટ્યા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly