શિક્ષકોના બદલીના નિયમોને લઈને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે 10 વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો અંગે ઘના સમયથી માંગ થઈ રહી. આ બાદ રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે જેનાથી 2 લોઆખ શિક્ષકોને ફાયદો થશે.
મળતી માહિતી મુજબ આ બેઠકમા સચિવ રાવ, નિયમક જોશી અને સમગ્ર ટીમ અને શિક્ષક ટીમના પ્રમુખ ભીખા ભાઇ હાજર રહ્યા હતા. આ અગાઉ જ્યા શિક્ષકોની બદલી થઇ 10 મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાનો નિયમ હતો.
આ બેઠક બાદ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે. હવે આ મામલે સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા જેને બદલીને વતન શબ્દ દૂર કર્યો છે અને 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકવાની છુટ પણ આપવામા આવી છે.