રાજ્યમા જેમજેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસની મુશ્કેલી સતત વધી રહી છે. કાલે વિશ્વનાથ સિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધુ છે. આ બાદ હવે ભરૂચથી કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા જેમા કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરાના નામ સામેલ છે.
આ બાદ હવે સમાચાર સામે આવ્યા છે કે તેઓ કેસરીયા કરી લીધા છે. વિધિવત રીતે ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓ સહકારી બેંક ખાતે મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ,પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કેસરીયા થયા છે. આ સાથે કોંગ્રેસના અન્ય 400 જેટલા હોદેદારો અને કાર્યકરો પણ ભાજપ સાથે જોડાયા છે.
આ મુદ્દે હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ 200થી400 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત ખોટી ગણાવી છે. તેમણે કહ્યુ છે કે 2થી3 કાર્યકરો તેમના વ્યક્તિગત પ્રશ્નને લઈ ભાજપમાં જોડાયા છે તે વાત સાચી છે. ગુજરાતમા વિધાનસભા ચૂટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ફટકા લાગી રહ્યા છે. કાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે લેશે અને તે પહેલા જ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રસને અલવિદા કહી રહ્યા છે.