ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને ખુરશીની રેસમા દરેક પાર્ટી દોડી રહી છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતમા પ્રચાર કરવા આવી પહોચ્યા છે. આ વચ્ચે એક મોટી રાજનીતીક ઉથલપાથલ સામે આવી છે. ભાજપ દ્વારા ટિકિટ ન મળતા નારાજ નેતાઓ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને હવે આ મામલે ભાજપે એકશનમા આવીને આવા તમામ નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આ સિવાય હાલમા જ સી.આર.પાટીલ દ્વારા પણ 12 કાર્યકરોને પક્ષ વિરોધી કામગીરી માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પક્ષ વિરોધી કામગીરી કરનારા નેતાઓ વડોદરાના હતા. આ જાણ થતા જ જીલ્લા ભાજપ દ્વારા એક સાથે 51 લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા ગુજરાતના રાજકારણમા ખળભળાટ મચી ગયો છે.
શહેરના પાદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના આ 51 બળવાખોરો અને પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાની માહિતી છે.