BREAKING: વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીઓને 7 વર્ષની સજા, સાગર દાણ કૌભાંડમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Lok Patrika
By Lok Patrika
Share this Article

વિપુલ ચૌધરીને કૌભાંડ બદલ આજે સજા ફટકારવામાં આવી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં લાંબા સમયગાળા બાદ આજે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં આજે મહેસાણા કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, એમાંથી 3નાં મૃત્યુ થયાં છે.

વિગતે વાત કરીએ તો 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણકૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ થઈ હતી અને આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરાઈ હતી.

આ આરોપીઓને કોર્ટે સજા ફટકારી

વિપુલ માનસિંહભાઈ ચૌધરી (તત્કાલીન ચેરમેન)
જલાબેન (પૂર્વ વાઇસ-ચેરમેન)
નિશિથ બક્ષી (પૂર્વ એમ.ડી.)
પ્રથમેશ રમેશભાઈ પટેલ ( પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)
રશ્મિકાંત મોદી (પૂર્વ એકાઉન્ટ હેડ)
ચંદ્રિકાબેન
રબારી ઝેબરબેન
જોઈતા ચૌધરી
જયંતી ગિરધરભાઈ પટેલ
કરશન રબારી
જેઠાજી ઠાકોર
વીરેન્દ્રસિંહ ઠાકોર
ઈશ્વર પટેલ
ભગવાન ચૌધરી
દિનેશ દલજીભાઈ ચૌધરી

આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે, જેમાંથી 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 19 પૈકી 4 આરોપીને શંકાનો લાભ મળતાં તેમને અપીલ પિરિયડ સુધીમાં 50 હજારના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે.

સાગરદાણ મોકલવા અંગે 17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવાયા હતા. જે બાદ 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરાયો હતો. સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લડ્યા હતા.

VIDEO: આ સ્વિમિંગ પૂલ નથી પણ નેશનલ હાઈવે છે… 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું, લોકોએ તરીને મજ્જા લીધી

મારી ઉંમર 27 વર્ષની છે, ચાર બાળકોને જન્મ આપ્યો છે, હું બધું સમજું છું… પાકિસ્તાની સીમા સચિનના પ્રેમમાં ઓળઘોળ

બાગેશ્વગ બાબાના દરબારમાં બદ્દતર વર્તન, સુરક્ષાકર્મીએ મહિલા ભક્તને ઉપાડી ઘા કરી દીધો, વીડિયો જોઈ ગુસ્સો આવશે

ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન બન્યા હતા. વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેને પગલે એ વખતના કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલાયું હોવાના આક્ષેપ થયા હતા. મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરીને દૂધ સાગર ડેરીમાંથી મહારાષ્ટ્રની મહાનંદાડેરીને સાગરદાણ મોકલાયું હતું, આ અંગે કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું હતું.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly