અ.ભા.વિ.પ ગુજરાતની ટીમે મંત્રી ઋષિકેશ પટેલને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને સુજાવ આપ્યા, જાણો ક્યા મુદ્દા ધ્યાને લીધા

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલ માં જ ગુજરાત સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવા માટે નો ખરડો(ડ્રાફ્ટ) જાહેર કરવામાં આવ્યો છે, ગુજરાત સરકાર દ્વારા આ ચોમાસા સત્રમાં સરકાર‌ દ્વારા આ ખરડો પસાર થવા જઈ રહ્યો છે. જે કેટલાય અંશે અભિનંદનને પાત્ર છે, આ કોમન યુનિવર્સિટી એક્ટ થી તમામ યુનિવર્સિટીઓ એક ગતિ થી એકસુત્રતા માં કાર્ય કરશે. આ એક્ટ સરકાર દ્વારા પબ્લિક ડોમેન પર મુકવામાં આવ્યો છે. જેમાં સક્રિય વિદ્યાર્થી સંગઠન તરીકે અભાવિપ ના પ્રતિનિધિ મંડળ દ્વારા કેટલાક સુજાવ આપ્યા. જે નીચે મુજબ છે.

1. જાહેર ખરડા ના ચેપ્ટર vi માં ઉલ્લેખિત માહિતી મુજબ પ્રવેશ , પરીક્ષા અને પરિણામ માટે સરકારી જાહેરાત કરવામાં આવશે. પરંતુ તેમાં એક જ અભ્યાસક્રમ , એક જ સમયે પરિક્ષા અને એક જ સમયે પ્રવેશ પ્રક્રિયા ઓ કરવામાં આવશે. જેનાથી વિધાર્થી ઓ ને ધણા ખરા અંશે અનુકૂળતા પમ રહેશે. વિધાર્થી ઓને રાજ્યની જ અન્ય રાજ્યકક્ષા યુનિવર્સિટીઓમાં ચાલુ અભ્યાસક્રમમાં એડમીશન ટ્રાન્સફર લેવું સરળ અને ઝડપી બનશે. આવી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી જે કરવી જરૂરી છે.
2. કેટલાક અંશે આ કોમન યુનિવર્સિટી એક્ટ ને લીધે યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર અસર થવાની સંભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમા યુનિવર્સિટીઓની મુળભુત સ્વાયત્તતા રહેવી જ જોઈએ. સાથે જ આ એક્ટ હેઠળ યુનિવર્સિટીઓ મા બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવામાં આવશે, જેના ચેરમેન તરીકે ખરડામાં વાઇસ ચાન્સેલર રહશે તેમ જણાવાયું છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું પાલન થતું નથી તેમ જણાય રહ્યું છે. કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પ્રાવધાન 19.2 અંતર્ગત ઉલ્લેખિત માહિતી મુજબ ઉચ્ચતર શિક્ષણ સંસ્થામાં પ્રભાવી પ્રશાસન અને નેતૃત્વ માટે જે બોર્ડ ઓફ ગવર્નન્સ નો ઉલ્લેખ કરેલો છે, તે મુજબ તે સ્થાને કોઈ યોગ્ય પ્રતિષ્ઠિત કે પછી કોઈ સમાજના શ્રેષ્ઠીને તેના ચેરમેન પદ પર નિમાય તે હિતકારક રહેશે. ખરડામાં ઉલ્લેખિત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 80% શિક્ષણવિદો 10% સમાજના શ્રેષ્ઠીઓ તેમજ 10% વિદ્યાર્થી પ્રતિનિધિત્વ હોવુ જોઈએ તેવુ વિધાર્થી પરિષદ નુ સ્પષ્ટ માનવું છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં 33% ટકા મહિલા અનામતનુંનું પ્રતિનિધિત્વ નક્કી કરવુ જોઈએ. તમામ પ્રકારના લોકોના પ્રતિનિધિત્વથી મોટા પ્રમાણમાં લોકોના પ્રશ્નોનું સમાધાન સરળ બનશે. તમામ પ્રકારના વિવિધ બોર્ડ, વિવિધ સમિતિમાં નિમાયેલ સદસ્યો માટે ની મોટા ભાગની નિમણુંક વાઈસ ચાન્સેલર દ્વારા કરવામાં આવશે. તેનો પણ ફરી વિચાર કરવા યોગ્ય રહશે કારણ કે એક જ વ્યક્તિ દ્વારા આટલી બધી નિમણુક કરવામાં આવશે જે યોગ્ય નથી.
3. છાત્ર સંધ ચૂંટણી થવી તે ખૂબ જરૂરી અને આવશ્યક બાબત છે. જેમાં પણ રજીસ્ટર ગ્રેજ્યુએટની નહીં પરંતુ વર્તમાન અભ્યાસરત વિદ્યાર્થી પ્રતિનિધિત્વની ચૂંટણી થવી આવશ્યક છે. તમામ ફેકલ્ટી ના વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વથી જ વિદ્યાર્થીઓનો અવાજ , વિધાર્થીઓની મુશ્કેલીઓ પ્રશાસન સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવાનું કાર્ય આ છાત્ર સંઘ દ્વારા જ થતુ હોય છે.
4. ઉલ્લેખિત ખરડામાં જણાવેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સદસ્યો એકંદરે એક સમાન લોકો જ હોય તેમ જણાય રહ્યું છે. તેમજ તેના અંદર ઉલ્લેખિત સરકાર દ્વારા નિમાયેલ સદસ્ય અને ડીન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે કોઈ પણ પ્રકારના ધારા ધોરણ અને નિયમો જણાવેલ નથી. સાથે સાથે બોર્ડ ઓફ સ્ટડી જેવી મહત્વપૂર્ણ રચના નથી માટે તેની રચના કઈ રીતે કરવી તેનો સમાવેશ આ એક્ટમાં કરવો જોઈએ.
5. આ ખરડો સરકારી યુનિવર્સિટી માટે જાહેર થયેલ હોય ત્યારે ખરડાનું નામ “ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ” હોવું વધારે યોગ્ય રહશે.
6. જાહેર કરેલ ખરડામાં અંતિમ સત્તા તરીકે સરકારનો ઉલ્લેખ થયેલ છે તેના સ્થાને ચાન્સેલરની અંતિમ નિર્ણય પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા હોવી જરૂરી છે.
7. ચેપ્ટર III માં ઉલ્લેખિત યુનિવર્સીટી ઓફિસરમાં – “ ધ ડાયરેક્ટર ઓફ સબ કેમ્પસ ઓફ ધ યુનિવર્સિટી, ધ ડાયરેક્ટર ઓફ નોલેજ રીસોઅર્સ સેન્ટર, ધ ડાયરેક્ટર ઓફ ઇનોવેશન ઇક્યુબેશન એન્ડ લિન્કેજ, ધ ડાયરેક્ટર ઓફ લાઈફ લોંગ લર્નિંગ એન્ડ એક્શ્ટેશન, ધ ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ, ધ ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ એન્ડ ફીઝીકલ એડ્યુકેશન, ધ ડાયરેક્ટર ઓફ નેશનલ સર્વિસ સ્કીમ, એફીલેટેડ કાઉન્સિલ, ફી રેગ્યુલેશન કમિટી” વગેરેનો પણ સમાવેશ થવો જોઈએ. ફી નિર્ધારણ સમિતિ નો ઉલ્લેખ અને તેની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.
8. આ એક્ટમાં RUSA ની ભૂમિકાનો ઉલ્લેખ થયેલ નથી. જે NEP 2020 મુજબ ખુબ અગત્યનું હોય તેમ જણાય છે તો તેની ભૂમિકાનો ઉલ્લેખ આ એક્ટમાં કરવો.
9. આ એક્ટની અંદર વિવિધ પ્રકારની શૈક્ષણિક, બિન-શૈક્ષણિક યુનિવર્સિટી સલંગ્ન સમસ્યાઓ નિવારણ માટે ગ્રીવન્સ કમિટી બનાવવામાં આવે.
10. એક્ઝીક્યુટીવ કાઉન્સિલની કાર્યશૈલીમાં પારસ્પરીકતા રહે તે માટે એક એડવાયઝરી એક્ઝીક્યુટીવ કાઉન્સિલની રચના થવી જોઈએ.
11. સંપુર્ણ ખરડામાં વિવિધ સ્તરની માહિતી અને શબ્દોની ભૂમિકા સ્પષ્ટ થતી નથી, તે સ્પષ્ટ કરવામાં આવે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશ દ્ધારા સરકાર શ્રી ને માંગ કરવામાં આવી છે જેમાં, નવા ગુજરાત યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ સ્પષ્ટ સ્થાન હોવું જોઈએ તેમજ યુનિવર્સિટીઓના સ્વાયત્તા નું હનન ન થવું જોઈએ, જાહેર કરેલ ખરડાનું અધ્યયન અને વિદ્યાર્થીઓ પાસે થી પ્રાપ્ત થયેલ સંશોધન મુજબ ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છે તેમજ ખરડામાં હજુ પણ ઘણા સુધારા જણાય રહેલ છે. ખરડો કાયદો બને તે પહેલા વિધાર્થી પરિષદનું માનવું છે કે એક સંશોધન કમિટી નીમવામાં આવે જેમાં શિક્ષણવિદ્, પૂર્વ વાઈસ ચાન્સેલર, વર્તમાન વાઈસ ચાન્સેલર, UGCના પૂર્વ સદસ્ય, સરકાર દ્વારા એક અધિકારી આ સંશોધન કમિટીમાં સંમિલિત કરવામાં આવે. આ કમિટી દ્વારા સૂચવેલ તેમજ ઉપરોક્ત સૂચવેલ બિંદુઓને ધ્યાનમાં લઇ સંશોધિત ખરડો(ડ્રાફ્ટ) જાહેર કરી શિક્ષણ જગત માટે ચર્ચા કરવા ખુલ્લો મુકવો જોઈએ.

ગુજરાત પ્રદેશ મંત્રી સુશ્રી યુતિ બેન ગજરે જણાવે છે કે, ” ગુજરાત સરકાર ના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ ને લઈ ને વિધાર્થી પરિષદ નુ સ્પષ્ટ માનવું છે કે આ એક્ટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને ધ્યાન માં રાખી ને બનાવવામાં આવે. આ એક્ટ મા ધણા સ્થાનો પર ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થી અલગ નિયમોની રચના કરવામાં આવી છે. વિધાર્થી પરિષદ દ્વારા મોકલવામાં આવેલ સુજાવો ને ધ્યાનમાં લઈ ને ફરી સમાજ વચ્ચે મુકવામાં આવે અને ત્યારબાદ જ તેને પારિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી જોઈએ. સાથે જ યુનિવર્સિટી મા વિધાર્થી પ્રતિનિધિત્વ હોવુ જોઈએ અને યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર અસર ન થાય તેવુ વિધાર્થી પરિષદ નુ સ્પષ્ટ માનવું છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly