અવાર નવાર અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવે છે. રાજકોટનો કિસ્સો હજુ પણ ચર્ચાઈ રહ્યો છે કે એક વૃદ્ધ દંપતીએ પોતાનું માથુ વાઢીને બલિ ચડાવી દીધી. ત્યારે હવે બીજો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની આ તાંત્રિક વિધિએ અશ્લીલ રૂપ ધારણ કર્યું છે. આ કિસ્સામાં એક તાંત્રિક કશ્યપ બાપુએ બે યુવાન સંતાનોની માતાને ત્રણ વર્ષ પત્ની બનાવીને રાખી અને એટલું જ નહીં વારંવાર દુષ્કર્મ ગુજાર્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની હાલમાં ફરિયાદ મળતા ચારેકોર હાહાકાર છે. આ ત્રાંતિક પણ ભાવનગરનો હોવાનું સામે આવ્યું છે. તમારે કપડાં કાઢવા પડશે પછી પૈસાનો વરસાદ થશે એમ કહી તાંત્રિકે મહિલાને વિશ્વાસમાં લીધી હતી.
આ કેસમાં હાલમાં પ્રાપ્ત વિગતો અનુસાર બાદ ગોત્રી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે કશ્યપ બાપુ સામે ઇપીકો 376 મુજબનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. મહિલાના શબ્દો છે કે- ફેબુ્રઆરી 2020માં હું મારા પિતાને ત્યાં ગઇ ત્યારે પિતાના એક મિત્રએ આ તાંત્રિક સાથે મળાવી હતી. એ ભાઇએ મને બીજા દિવસે ખોડિયાર નગર બોલાવી જ્યોતિષ કશ્યપ બાપુ સાથે પરિચય કરાવ્યો હતો. ત્રીજા દિવસે કશ્યપ બાપુએ ફોન કરીને એક દિવસ રોકાવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યુ હતુ. જેથી હું તે તાંત્રિકને ગોત્રી તળાવ નજીક રહેતા મારા માનેલા ભાઇને ત્યાં લઇ ગઇ હતી. કશ્યપે સાંજે મને જમવાનું લઇ બોલાવી હતી અને તમારી એક વિધિ કરવી પડશે તેમ કહી મારા ભાઇને બહાર મોકલી દીધો હતો. પછી કશ્યપે મારા બંને હાથ પકડી લક્ષ્મીનું બંધારણ છે, નડતર દૂર કરવા કપડાં કાઢવા પડશે એવું કહ્યુ.
મહિલા આગળ કહે છે કે મને એની વાત પર વિશ્વાસ ન આવ્યો અને આ સાંભળતા મેં વિરોધ કર્યો હતો અને તેણે કહ્યું કે, વિધિ તો ચાલુ થઇ ગઇ છે. હું કહું છું તેમ નહિં કરો તો બીજી વસ્તુઓ તમારા શરીરમાં પ્રવેશી જશે. જેથી મેં કપડાં કાઢી નાખ્યા. પછી તેણે મારી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો. મે એને કહ્યું કે તમે મારા પુત્રની ઉંમરના છો. તો પણ તેણે કાંઇ સાંભળ્યુ નહીં. તેણે મારી પર બળાત્કાર ગુજારી હવે આપણે પતિ-પત્ની બની ગયા છે તેમ કહ્યું. જો કે હદ તો ત્યાં થઈ ગઈ કે ઓક્ટોબર-22માં તાંત્રિકના ખર્ચાથી મહિલાનું અંડાશયનું ઓપરેશન કરાવ્યું હતું અને ખોડિયારનગરમાં રહેતાં કશ્યપના મિત્રને ત્યાં પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. પછી મહિલાને છોડી ફરાર થઇ ગયો હતો.