લ્યો સાંભળો વાત, વડોદરા હરિધામ સોખડા મંદિરના વિવાદ મામલે એકદમ નવો વળાંક, પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રમુખ પદની વરણી જ ગેરકાયદેસર હતી બોલો

Lok Patrika
By Lok Patrika
Share this Article

વડોદરા હરિધામ સોખડા મંદિરનો વિવાદ બંધ થવાનું નામ જ લેતો નથી. હવે પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રમુખ પદની વરણી ગેરકાયદેસર હોવાનો મુદ્દો ગાજ્યો છે. આ મામલે અરજી પણ કરવામાં આવી છે. ગેરકાયદે વરણીને લઈને પ્રબોધ સ્વામી જૂથે ચેરિટી કમિશનરમાં કરી અરજી કરતાં નવી ચર્ચા જાગી છે. હાઈકોર્ટ બાદ હવે મામલો ચેરિટી કમિશનર કચેરીએ પહોંચ્યો છે અને ગુરૂવારે ચેરિટી કમિશનર કચેરી ખાતે આ મામલે દલીલો કરવામાં આવશે.

આ આગઉ સોખડા હરિધામ મંદિરમાં હરીપ્રસાદ સ્વામીના ૮૮માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ વિવાદ સર્જાયો હતો. ૧૧ મેના રોજ સોખડા હરિધામ મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામિના દર્શન અને ચાદરવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં સામેલ થવા માટે યોગી ડીવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતાં વિવાદ વકર્યો હતો. ત્યાગવલ્લભ સ્વામીની સહી થતાં પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભક્તોએ રજૂઆત સાથે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી પ્રેમ સ્વરૂપ સ્વીમીની ચાદરવિધિ ન થઇ શકે હોવાનું જણાવ્યું હતું અને આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીની સહી કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly