નકલી વિદેશી દારુ બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ, આણંદના ભેટાસી ગામમાંથી મળ્યા કેમિકલ ભરેલા કેરબા, બોટલ પેક કરવા માટેનો સામાન

Lok Patrika
By Lok Patrika
Share this Article

લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસની વિવિધ જિલ્લાની ટીમો એક્ટિવ થઈને ઠેરઠેર દેશીદારુ બનાવતી જગ્યાઓ પર દરોડા પાડીને કાર્યવાહી શરુ કરી છે. આમ છતાં હજુ પણ રાજ્યમાં દેશી અને નકલી વિદેશી દારુ વેચવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં આણંદના ભેટાસી ગામમાંથી નકલી વિદેશી દારુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આ જગ્યા પરથી કેમિકલ ભરેલા કેરબા, બોટલ પેક કરવા માટેનો સામાન સહિતનો સામાન મળી આવ્યો છે. હવે આ મામલે પોલીસ દ્વારા જરુરી પગલા ભરવામાં આવશે, અને આ દારુની ફેક્ટરી કોના દ્વારા ચલાવવામાં આવતી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનામાં અમદાવાદથી કેમિકલ મોકલવામાં આવતું હોવાની ઘટનાના અંગે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે આણંદના તાર અન્ય કયા જિલ્લા સાથેજાેડાયેલા છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ કેસમાં એક આરોપીને ઝડપીને કાર્યવાહી શરુ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ભેટાસી ગામે દારુ બનાવવાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું તેની સામે આંકલાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ પોલીસે વિદેશી દારુ બનાવવમાં આવતો હોવાની જગ્યા અંગે માહિતી મળતા તપાસ કરવામાં આવી તો અહીંથી કેમિકલ ભરેલા કેરબા, ખાલી બોટલો, બોટલ પેક કરવાનો સામાન સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન જે કમિકલ મળી આવ્યું છે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવતો હતો? આ કેમિકલ કયું છે? તેને ક્યાંથી લાવવામાં આવતો હતો? અહીં દારુ બનાવ્યા બાદ તેને ક્યાં મોકલવામાં આવતો હતો? વગેરે સવાલોની પોલીસ દ્વારા આમામલે ઊંડી તપાસ શરુ કરવામાં આવી છે. દારુ બનાવતી ફેક્ટરી ઝડપાયાની સાથે એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ફેક્ટરી કેટલા સમયથી ચલાવવામાં આવતી હતી તે સહિતની તપાસ શરુ કરવામાં આવી છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે બે વર્ષ અગાઉ આ વિસ્તારમાંથી વિદેશી દારુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરી એ જ ગુનેગારો દ્વારા આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી કે કેમ તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. બોટાદ જિલ્લામાં બનેલી ઘટનામાં ૪૯ લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ અમદાવાદમાં કેટલાક દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાંથી બે જેટલા દર્દીઓની હાલત ગંભીર છે.

દેશી દારુના કારણે મોતનો મામલો સામે આવતા રાજ્યભરની પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા પાડીને દેશી દારુના અડ્ડાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અને આ ગુના સાથે સંકળાયેલા મોટા માથાઓની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ અને મૃત્યુઆંક જાેતા આગામી સમયમાં ગુનામાં વધુ કેટલાક નામો ખુલે તો નવાઈ નહીં અને દેશીદારુમાં કેમિકલ ભેળવવાની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે લઠ્ઠાકાંડના પડઘા દેશભરમાં પડ્યા બાદ ગુજરાત સરકારે આ મામલે કડક કાર્યવાહીના આદેશ પોલીસને આપી દીધા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly