Gujarati News: ગઈકાલે 15 ઓગસ્ટે સમગ્ર ભારત અને આપણું ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયુ હતું. ઠેર ઠેર ઉજવણીનો માહોલ હતો અને કંઈક હટકે રીતે આઝાદીનો જશ્ન મનાવ્યો હતો. ત્યારે એ જ અરસામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામની અંદર આવેલ જનતા બાગમાં પણ 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
આ ધ્વજ વંદનના કાર્યક્રમ બાદ સાવરકુંડલા ના નગરપાલિકાના અધિકારી વિપુલ એસ. રાઠોડ અને સાથે જ અન્ય નગરપાલિકાના સદસ્યની હાજરીમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો કે જમાં દેશભક્તિ ગીતની જમાવટ બોલી હતી.
આ દેશભક્તિ ગીતના જલસામાં સાવરકુંડલાના ઉભરતા નવયુવાન સિંગરોનું ગૃપ દિલ કી આવાજ દ્વારા ખૂબ જ સુંદર રજુઆત કરવામાં આવી હતી.
દિલ કી આવાજ ગૃપના સભ્યો
વસીમ જાદવ
મિહિર ઉપાધ્યાય
મુઝમિલ વાઘેલા
મુનીર ચૌહાણ
અસલમ બાપુ
હર્ષ અંબાણી
પ્રતીક જાદવ
આ પણ વાંચો
વરસાદને લઈ હવામાન વિભાગની ફિક્કી આગાહી, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું – વરસાદ આવશે, બધા ધીરજ રાખો….
આ દરેક કલાકારો પોતાનામાં એક ટેલેન્ટ છે અને લોકોને ગીતથી મંત્રમુગ્ધ કરી દેવા માટે જાણીતા છે. ત્યારે આ કાર્યક્રમમાં અનેક ગીતોની રજુઆત કરીને લોકોને દેશભક્તિની છોળો ઉડાડી હતી. લોકો પણ દેશભક્તિના રંગમાં રંગાય જાય એવા સુમધુર અવાજમાં આ યુવાનોએ પોતાની રજુઆત કરી હતી.