ભરૂચમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગુરુ શિષ્યના સંબંધોનો લાંછન લગાડનારો છે. ભરૂચની એક શાળાના આચાર્યએ શાળામાં જ અભ્યાસ કરતી ધોરણ 9માંની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. આ બાદ હવે આ સમગ્ર ઘટના ખુલ્લી લડતા પોલીસે હોવાનું આચાર્યની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આ શાળા ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલી છે. શાળાનું n સરસ્વતી વિદ્યાલય છે અને અહીં આચાર્ય રાકેશ પરમાર ફરજ બજાવી રહ્યો હતો.
આ આચાર્યે ધોરણ 9માં અભ્યાસ કરતી એક બાળકી સાથે કલાસરૂમમાં જ દુષ્કર્મ આચ્યું હોવાનું સામે આવ્યું છે. આચાર્યે બાળકોને પોતાની વાસનાનો શિકાર બનાવવા માટે તેને વારંવાર નાપાસ કરવાની ધમકી આપી. ધમકી આપીને તે અતયાર સુધીમાં ઘણી વખત સગીરા સાથે દુષ્કર્મ આચારતો હતો.
મળતી માહિતી મુજબ સગીરાએ ગભરાય અને આ તમામ વાતો પોતાની બહેનને કરી. આ બાદ પરિવારજનોએ જાણ કરી અને તેઓએ પોલીસની મદદ લીધી. આ બાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દોડી આવી હતી અને આરોપી આચાર્ય વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.