મુખ્યમંત્રીના પીએ બાદ હવે આ મંત્રીના પીએનો આવી શકે છે વારો ? દિલ્હીથી તપાસ થાય તો રેલો કચ્છ સુધી પહોંચશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પીએ ધ્રુમિલ પટેલની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરાયા બાદ મંત્રીઓમાં ભારે સોપો પડી ગયો છે. અમૂક મંત્રીઓના પીએ ઉપર નજર રખાતી હોવાની ચર્ચાઓએ જાેર પડક્યુ છે. ધ્રુમિલ પટેલ ઉંમરના જ એક પીએની ઉપર વોચ ગોઠવવામાં આવે તો અનેકના પગનીચે રેલો આવવાની ચર્ચાઓ જાગી છે. આ મામલે છેક કચ્છ સુધી પડઘા પડી શકવાની શક્યતાઓ વધી છે.

જાે કે, હાલ ભૂપેન્દ્ર પટેલના પીએ ધ્રુમિલ પટેલની હક્કારપટ્ટી થતા જ અનેકની શાન ઠેકાણે આવી ગઈ હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલની ગુરુવારે રાત્રે તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમના પર ભ્રષ્ટાચારના કેટલાક ગંભીર કહી શકાય તેવા આક્ષેપ થતાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ધ્રુમિલ પટેલ વિરુદ્ધ છેલ્લા એક મહિનાથી તપાસ ચાલતી હતી.

એક અહેવાલ અનુસાર, આ તપાસની સૂચના સીધી પીએમ ઓફિસથી આપવામાં આવી હતી. ધ્રુમિલ પટેલ પર પોલીસ ઈન્સ્પેક્ટરો પાસેથી તેમની પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ લેવા માટે વહીવટ કરાયાનો આક્ષેપ છે, આ સિવાય બિલ્ડરોની ફાઈલો ક્લિયર કરવા માટે પણ તેમણે કથિત રીતે રુપિયાની લેતી-દેતી કરી હોવાની ચર્ચા છે. ભૂપેન્દ્ર પટેલ ૨૦૧૭માં પહેલીવાર ઘાટલોડિયાથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા ત્યારથી ધ્રુમિલ પટેલ તેમની સાથે કામ કરી રહ્યો છે.

કોલેજના દિવસોમાં તે એનએસયુઆઈના સક્રિય કાર્યકર્તા હતા, પરંતુ પાછળથી તે ભાજપમાં જાેડાઈ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલ અગાઉ તે પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પાર્ટી ઓફિસમાં પણ કામ કરી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓમાં થતી ચર્ચા મુજબ ધ્રુમિલ પટેલની પીઆઈ અને પીએસઆઈની ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં દખલગીરી રહેતી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં એક પીઆઈની આઈપીએસના રીડર તરીકે નિમણૂંક થઈ હતી.

એવી ચર્ચા છે કે ધ્રુમિલે સિનિયર પોલીસ અધિકારીને ફોન કરી આ પીઆઈની ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. એટલું જ નહીં, પોલીસ ઈન્સ્પેક્ટરો મલાઈદાર પોસ્ટિંગ માટે ધ્રુમિલનો જ સંપર્ક કરતા હતા. હાલમાં જ ૧૭ જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરોની ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો હતો. એવું મનાઈ રહ્યું છે કે ધ્રુમિલે વરિષ્ઠ અધિકારીને ફોન કરીને કેટલીક ટ્રાન્સફર રદ કરવા માટે કહ્યું હતું. થોડા દિવસ પહેલા જ ધ્રુમિલે પોતાના જાેડિયા દીકરાના બર્થડે પર જાેરદાર પાર્ટી આપી હતી. આ ભપકાદાર પાર્ટીમાં કેટલાક અમલદારો, રાજકારણીઓ તેમજ મોટા વેપારીઓએ પણ હાજરી આપી હતી.

આ જ મામલે સ્થાનિક અખબાર નવગુજરાત સમય જણાવે છે કે, ધ્રુમિલ પટેલને હટાવાયા બાદ તેમની કામગીરી સીએમ ઓફિસના ઓએસડી પ્રણવ પારેખને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સીએમના પીએને ગેરરીતિના આક્ષેપો બાદ તાત્કાલિક અસરથી હટાવાયા હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે, જેની સચિવાલયમાં જાેરદાર ચર્ચા થઈ રહી છે, એટલું જ નહીં તેનાથી મંત્રીઓના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly