30 દિવસની તકલાદી લવ સ્ટોરી, આણંદની પરિણીતા પતિ-પુત્ર બધું તરછોડીને પ્રેમી સાથે લગ્ન કરવા અ’વાદ આવી ગઈ, પછી નફફટ પ્રેમીએ એવો દગો કર્યો કે….

Lok Patrika
By Lok Patrika
Share this Article

આણંદમાં રહેતી એક પરિણિતાને અમદાવાદમાં રહેતા એક યુવક સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થઈ ગયો હતો. માત્ર ૩૦ દિવસની વાતચીતમાં પરિણિતાએ યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી હતી અને ઘરસંસાર છોડીને નીકળી ગઈ હતી. આ પરિણિતા અમદાવાદના છેવાડે આવેલા ઓડ કમોડ ગામ પાસે પહોંચી હતી. મહિલાને એકલી હાલતમાં જાેતા એક જાગ્રૃત નાગિરકે અભયમ ૧૮૧ને ફોન કરીને જાણ કરી હતી. અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિણિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું.

બાદમાં અભયમની ટીમે યુવકના મોબાઈલ અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. જાે કે, યુવકનો ફોન અને નેટ બંધ હતું. એટલે એ વાત માલૂમ થઈ કે યુવક તેની સાથે લગ્ન કરવા માગતો નથી. બાદમાં અભયમની ટીમે પરિણિતાને પોતાની સાસરીમાં મોકલી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, અભયમની ટીમ પર એક જાગ્રૃત નાગરિકનો ફોન આવ્યો. આ નાગરિકે અભયમની ટીમને એવું જણાવ્યું હતું કે, એક મહિલા ૧૨ વર્ષના બાળક અને તેના પતિને તરછોડીને અમદાવાદ આવી છે. તે પોતાના પતિના ઘરે જવા માગતી નથી. આ વાત સાંભળીને અભયમની ટીમ તાત્કાલિક પહોંચી હતી.

બાદમાં અભયમની ટીમે પરિણિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, મહિલા પોતાના ૧૨ વર્ષના પુત્ર અને પતિ સાથે આણંદમાં રહે છે. તેનો પતિ દાળવડાનો ધંધો કરો છે અને મહિને ૪૦ હજાર રુપિયા કમાય છે. પતિ પણ તેને સારી રીતે રાખે છે. ૩૦ દિવસ પહેલાં તેની ઓળખાણ અમદાવાદમાં રહેતા એક યુવક સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન તેને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી તે યુવક સાથે લગ્ન કરીને સાથે રહેવા માગે છે.

યુવક તેને ખૂબ જ ગમી ગયો છે. પરિવારમાં આ વાતની જાણ થતાં તે ઘરબાર છોડીને યુવક સાથે લગ્ન કરવા માટે નીકળી પડી હતી. જે યુવક સાથે લગ્ન કરવા માટે તે નીકળી હતી તેને ફોન કરતા તે બંધ આવતો હતો. ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા નેટ બંધ આવતું હતું.આના પરથી માલૂમ થયુ કે યુવક તેની સાથે લગ્ન કરવા માગતો નથી અને તેની સાથે વાત કરવા માગતો નહોતો. આ રીતે અભયમની ટીમે પરિણિતાને સમજાવતા તે માની ગઈ હતી. બાદમાં ટીમે મહિલાને સમજાવીને સાસરીમાં મોકલી આપી હતી. જ્યાં પતિએ પણ તેને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. આ રીતે અભયમની ટીમે ફરીથી મહિલાનું પતિ અને પુત્ર સાથે મિલન કરાવ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly