30 વર્ષે બાદ હવે પાકિસ્તાનની જેલમાંથી છૂટીને કુલદીપ યાદવ આજે પરત ઘરે આવ્યા છે. આટલા લાંબા સમય બાદ પરિવારને આજે તેઓ મળ્યા છે અને ખુશી વ્ય્કત કરી હતી. કુલદીપ યાદવ વિશે વિગતે વાત કરીએ તો તેઓ વર્ષ 1992માં પાકિસ્તાન ગયા હતા અને જ્યારે 1994માં તેઓ ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે બોર્ડર ક્રોસ કરવા જતા ત્યાંના સ્થાનિક લોકોને તેમના પર શંકા થઈ. આ બાદ તેઓની એજન્સીએ ધરપકડ કરી લીધી હતી. આ બાદ વતન વાપસીની તમામ પ્રક્રિયામા 30 વર્ષનો સમય જતો રહ્યો અને આજે તેઓ અમદાવાદ પરત ફર્યા છે.
મળતી માહિતી મુજબ જૂન 1994માં પાકિસ્તાન એજન્સીએ તેમની ધરપકડ કરી અને કોર્ટમાર્શલ થયું. આ પછી લગભગ 2.5 વર્ષ સુધી કુલદીપ યાદવનું ઇન્ટરોગેશન ચાલ્યું અને અને પછી 1996માં તેમને લાઇફ ઇમ્પ્રિમેન્ટની સજા આપવામા આવી. આ અંતર્ગત કુલદિપને સિવિલ જેલ-સેન્ટ્રલ જેલ કોટલખપત લાહોર રાખવામા આવ્યા. કુલદીપ યાદવ 27 વર્ષના હતા ત્યારે પાકિસ્તાની જેલમાં બંધ થયા અને ત્યારબાદ હવે આજે તેઓ પરિવારજનોને મળી શકયા છે.
કુલદીપ યાદવ વિશે મળતી માહિતી મુજબ કુલદીપનો જન્મ દહેરાદૂનમાં થયો અને 1972માં તેઓનો પરિવાર અમદાવદમાં શિફ્ટ થઈ ગયો. 1થી 7 ધોરણનુ પ્રાથમિક શિક્ષણ પણ તેઓએ દેહરાદૂનમાં અને 8થી ધોરણ 12 સુધી અમદાવાદની જ્ઞાનદીપ દિન્દી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધુ. આ બાદ સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશનનો અને પછી LLBનો અભ્યાસ કર્યો.
આ પછી ક્યાંય નોકરી ન મળતા વાથી કુલદીપે ટ્યૂશન કરાવવાનુ, પાનની દુકાન અને ગેરેજ કામ શરૂ કર્યુ. આ પછી તેઓ અમૂક લોકો સાથે કોન્ટેક્ટથી દેશ માટે કામ કરવા પાકિસ્તાન ગયા ત્યારે તેમની ઉમર 1992માં 27 વર્ષ હતી. આ બાદ 26 ઓકટોબર 2021ના રોજ કુલદીપની સજા પૂર્ણ થતા 24 જૂને કુલદીપને પાકિસ્તાનની સુપ્રીમકોર્ટમાં રજૂ કરી અને 32 વર્ષ બાદ સ્વદેશ પરત આવવા દેવામા આવ્યા.