અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું AI171 વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતાં. તેમનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે.
જ્યારે પ્લેનમાં કેટલા મુસાફરો સવાર હતાં તે યાદીમાં વિજય રૂપાણીનું 12મા નંબરે નામ છે. વિજય રૂપાણીનું આ ઘટનામાં નિધન થયું હોવાની આશંકા છે. રાજ્ય સભાના સાંસદ પરિમલ નાથવાણીએ માહિતી આપી છે. માહિતી મળી રહી છે કે વિજય રૂપાણીની દીકરી રાધિકા અને જમાઈ નિમિત બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે અને તેમને એક દીકરી પણ છે.જેથી રૂપાણી ઘણી વખત દીકરી પાસે લંડન જતા હોય છે. ત્યારે આ ફ્લાઈટ પણ લંડન જઈ રહી હતી.