સમાચાર સામે આવી રહ્યાં છે કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે. સિવિલમાં અફરાતફરી મચી ગઈ છે. એરપોર્ટ સાંજે 5 વાગ્યા સુધી બંધ કરવાનો નિર્યણ લેવાયો છે. આ સાથે જ ફાયર વિભાગની પણ 3 ટીમો ઘટનાસ્થળે હાજર થઈ ગઈ છે અને કાર્યવાહી હાથ ધરી છે.
ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે. બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ છે. અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાના સમાચારથી આખું ગુજરાત કંપી ઉઠ્યું છે.
જેમાં એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્ર વિજય રૂપાણી પણ હતા. સાથે જ 100ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેક ઓફની 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થતા અફરા તફરી મચી ગઈ છે
બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ છે. અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાના સમાચારથી આખું ગુજરાત કંપી ઉછ્યું છું. સાથે જ 100ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેક ઓફની 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થતા અફરા તફરી મચી ગઈ છે, મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના હોવાનું કહેવામાં આવ્યું છે.