અમદાવાદ પ્લેન ક્રેશમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
આ ભયાનક અકસ્માત મેઘાણીનગર પાસે થયો હતો. અકસ્માત બાદ, ફાયર બ્રિગેડના વાહનો, બીએસએફ અને એનડીઆરએફની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને અકસ્માતના વિસ્ફોટ અને ધુમાડા 5 કિમી દૂર સુધી જોઈ શકાતા હતા. આ અત્યંત મોટું પેસેન્જર વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે રચાયેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ વિમાન કેટલા કિલોમીટર ઉડી શકે છે અને તે કેટલા લિટર ઇંધણ વહન કરી રહ્યું હતું.
તેમજ એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે પ્લેન ક્રેશ થતાં જ્યાં લોકોની અવર જવર હતી. ત્યાં તેના પાંખડા પડતા તે લોકો પણ દબાઈ ગયા હતા. જેમાંથી કેટલાકના મોત પણ થઈ હોવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ પર 242 મુસાફરોને લઈને જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787 વિમાન ક્રેશ થયું.