અમદાવાદમાં ક્રેશ થયેલા Air India ના પ્લેનને લઈ અને ઘટનાને લઈ નવા નવા સમાચાર સામે આવી રહ્યાં છે. હવે સામે આવી રહ્યું છે કે ડોક્ટરો રહેતા હતા ત્યાં પ્લેન ક્રેશ થયું છે. મેન્ટલ હોસ્પિટલ પાસેના કમ્પાઉન્ડ નજીક આ પ્લેન ક્રેશ થયું છે કે જ્યાં જ્યાં ડોક્ટરો તથા હોસ્પિટલના કર્મચારીઓ રહે છે.
તેમજ એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે પ્લેન ક્રેશ થતાં જ્યાં લોકોની અવર જવર હતી. ત્યાં તેના પાંખડા પડતા તે લોકો પણ દબાઈ ગયા હતા. જેમાંથી કેટલાકના મોત પણ થઈ હોવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ પર 242 મુસાફરોને લઈને જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787 વિમાન ક્રેશ થયું.
આ ભયાનક અકસ્માત મેઘાણીનગર પાસે થયો હતો. અકસ્માત બાદ, ફાયર બ્રિગેડના વાહનો, બીએસએફ અને એનડીઆરએફની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને અકસ્માતના વિસ્ફોટ અને ધુમાડા 5 કિમી દૂર સુધી જોઈ શકાતા હતા. આ અત્યંત મોટું પેસેન્જર વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે રચાયેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ વિમાન કેટલા કિલોમીટર ઉડી શકે છે અને તે કેટલા લિટર ઇંધણ વહન કરી રહ્યું હતું.