અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન ટેક ઑફ કરતી વખતે જ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલમાં વિજય રૂપાણીના ઘર બહાર ભારે ભીડ જામી છે. મોટા મોટા નેતાઓ પણ પહોંચી ગયા છે.
Gandhinagar, Gujarat: Visuals from outside the residence of former Gujarat CM Vijay Rupani.
Former Minister Bhupendrasinh Chudasama arrives at the residence of former Gujarat CM Vijay Rupani pic.twitter.com/0xVKGxlj0X
— IANS (@ians_india) June 12, 2025
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હૉસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે.