અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું.
PM મોદીએ કર્યું ટ્વિટ
અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તે શબ્દોમાં કહી શકાય તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025
આ તરફ સમાચાર સામે આવી રહ્યાં છે કે હવે આજે રાત્રે 9 વાગે PM મોદી અને સાંજે 6 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે.