અમદાવાદીઓ વર્ષોથી મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આખા અમદાવાદમાં આ ટ્રેન દોડતી થાય. ત્યારે હવે સારા સમાચાર આવી રહ્યા છે કે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશેય આ ટ્રેન વાસણા APMCથી મોટેરા સુધી દોડશે અને સાથે સાથે વસ્ત્રાલથી થલતેજ સુધી સફર કરાશે. વિગતો મળી રહી છે કે અમદાવાદને પ્રથમ નવરાત્રિએ મેટ્રો ટ્રેનની ગિફ્ટ મળવા જઈ રહી છે. જેમાં વાસણા APMCથી મોટેરા સુધી ટ્રેન દોડશે. તથા વસ્ત્રાલથી થલતેજ સુધી ટ્રેનમાં સફર કરીને લોકો આનંદ માણી શકશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે એવી પણ માહિતી સામે આવી રહી છે.
જો આપણે ભાડા વિશે વાત કરીએ તો નવરાત્રીએ શરૂ થનારી મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી અને કોરિડોર-2માં વસ્ત્રાલથી થલતેજ સુધી ટ્રેનમાં સફર કરી શકાશે. અમદાવાદમાં આ નવરાત્રી મેટ્રો ટ્રેન શરૂ થઇ જશે. જેથી હવે અમદાવાદીઓ નવરાત્રીથી મેટ્રો ટ્રેનનો લાભ લઈ શકશે. વિગતો મુજબ મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે
મેટ્રો ટ્રેનની વધુમાં વધુ ટિકિટ રૂ.25 હશે. આ વાત સૌ માટે મોટી સાબિત થવા જઈ રહી છે. કારણ કે સિટી બસમાં પણ ભાડું આટલું જ છે. આ સાથે એપીએમસીથી વસ્ત્રાલ સુધીનુ ભાડુ રૂ.25 હશે તો થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીની ટિકિટ રૂ.25 હશે. આ તરફ અલગ અલગ સ્ટેશનની ટિકિટ રૂ 5, 10, 15, 20 અને 25 હશે.