હાલમાં ગુજરાત રાજકારણના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભરતસિંહે વાત કરી કે આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે. તેથી હવે હાલમાં સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે ભરતસિંહ બ્રેક લઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી હાલમાં એક વીડિયોના કારણે ખુબ જ ચર્ચામાં આવી રહ્યા છે. તેમની પત્ની સાથેના વિખવાદને લઈને આજે તેઓએ એક પત્રકાર પરિષદ પણ કરી હતી અને આ પરિષદમાં જ તેઓએ જાહેરાત કરી કે તેઓ હાલ પુરતા રાજકારણમાંથી વિરામ લઈ રહ્યા છે અને આ તેઓનો અંગત નિર્ણય છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ તેમનો અને બીજી 24 વર્ષની યુવતી સાથેનો વીડિયો સામે આવ્યો હતો. તેમણે પત્રકારો સાથે વાત કરી હતી કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે. ભરતસિંહ કહે છે કે અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ. પણ વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે. ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ. જ્યાં લગ્ન થયા ના 15 વર્ષ સુધી કોઈ સબંધ ન હોય માત્ર ઔપચારિક સબંધ રહ્યા છે.હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે.
સાથે જ વિગતો મળી રહી છે કે ભરતસિંહે વાત કરી કે મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું