અમદાવાદ શહેરના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. ફાયર અને પોલીસને મેસેજ મળતાની સાથે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાના સમાચારથી આખું ગુજરાત કંપી ઉછ્યું છું. સાથે જ 100ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે.