Ahmedabad News: “પૈસા તો કમાઈ લેવાય પણ ઈજ્જત મળે એનાથી રૂડું શું હોય – સ્વચ્છતા કર્મી” આ શબ્દો હતા એક સ્વચ્છતા કર્મીના કે જેઓનું સન્માન સારથી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ કર્યું હતું. આ દિવાળી માનવતાની જ્યોત પ્રગટાવીએ…આ સૂત્રને સાર્થક કરવાં તાજેતરમાં જ સારથી ફાઉન્ડેશન દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી.
જેમાં નિકોલની વિવિધ સોસાયટીમાં જઈને સ્થાનિકોને જોડીને સ્વચ્છતા કર્મીના ચરણ ધોઈ, તિલક કરીને આદર સત્કાર સાથે સન્માન કર્યું. કાર્યક્રમમાં સન્માન થતાં સ્વચ્છતા કર્મીઓએ કહ્યું, પૈસા તો કમાઈ લેવાય પણ જીવનમાં ઈજ્જત મળે એનાથી મોટું શું હોય! આ સંસ્થાએ મારું ખરું સન્માન કર્યું છે અને પહેલી દિવાળી એવી છે જેમાં અમે આત્મસમ્માન સાથે ઉજવણી કરીશું.
આ સાથે સારથી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકો ,ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી એમની એકલતા દૂર કરી..ઉપરાંત વિધવા મહિલાઓને મદદરૂપ થવાય એટલે કરિયાણાની કીટ ,મીઠાઈ તેમજ અન્ય ચીજવસ્તુઓ આપીને તેમના જીવનમાં અજવાળું લાવવાં પ્રયત્ન કર્યો.
એટલું જ નહીં દેશમાં બનેલા પ્રોડક્ટસને ગર્વથી ખરીદવા આ દિવાળીએ ‘વોકલ ફોર લોકલ’ પ્રોડેક્ટસને મહત્ત્વ આપી સ્થાનિક વસ્તુઓની ખરીદી કરી અને અન્ય લોકોને પણ નાના વેપારી પાસેથી વસ્તુઓ લેવા પ્રેરિત કર્યા હતા.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણી લો દિવાળીમાં કેવું વાતાવરણ રહેશે, વરસાદ ખાબકશે?
સારથી ફાઉન્ડેશનના પ્રમુખ, શ્રી મયુરભાઇ પટેલનું માનવું છે…કે “સંપન્ન લોકો તો દિવાળી આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે પણ વંચિતો કે જરુરિયાતમંદ લોકો સાથે દિવાળી ઉજવાય તો જ ખરી દિવાળી કહેવાય…એટલે આ દિવાળીએ માનવતાની એક જ્યોત પ્રગટાવીએ..