Ahmedabad News: ‘એક પ્રયાસ માનવતા કી ઓર’ ગ્રુપે તેમના પાંચમા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે બે દિવસમાં ત્રણ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. ગ્રુપના પ્રમુખ શ્રીમતી વિનતી જૈને જણાવ્યું હતું કે, ઉજવાણીના પ્રથમ દિવસે રવિવારે પં. દીનદયાળ હોલમાં રક્તદાન સાથે રાહત દરે રક્ત તપાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સાથે બીજા દિવસે કડકડતી ઠંડીમાં રાહત આપવા માટે નારણપુરા હિન્દી શાળા-3માં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રૂપના તમામ સભ્યોએ પ્રાર્થના કરી અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ 2024માં પણ સાથે મળીને ઘણા સારા કાર્યોનું આયોજન કરશે.