પૈસાનો ગોટાળો કરીને પોતાના બંગલા બનાવવાના કેસ ગુજરાતમાં ઘણા આવી ચૂક્યા છે. ત્યારે હવે વધારે એક નેતાજીની ધરપકડ કરવામા આવી છે અને હાલમાં આ મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. માહિતી મળી રહી છે કે દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધકપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે.
પહેલાં મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આરોપો પણ નાંખવામાં આવ્યા હતા. ત્યારે હવે આ કેસમાં આરોપી સાબિત થતાં વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચુક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતી થઇ હોવાની જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી.
જો પ્રાપ્ત વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યારે દૂધસાગર ડેરીમાં નાણાંકીય ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલા ભરીને આખરે બંનેની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના PA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે. અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે ફરી એકવાર ગુનાના પાને ચડીને વિવાદના વંટોળે ભરાયા છે.