દિવાળી પહેલા ગુજરાત સરકારની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત કરી છે જે કંઈક નીચે પ્રમાણે છે.
-ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત
-ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે
-ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે
-CNG-PNG ના વેટમાં પણ રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો.
હાલમાં દિવાળી પહેલા ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે જલસો પડી જાય એવી જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ લોકોને સારા સમાચાર આપ્યા કે ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થશે એવું પણ કહ્યું છે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત આપવામાં આવશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે. દિવાળી ટાણે જ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આકર્ષક દિવાળી ‘ગિફ્ટ’ આપી છે.