Ahmedabad news: ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ આજે દરેક ગુજરાતીને યાદ છે. એમાં પણ જે લોકો અવસાન પામ્યા હતા એના પરિવારને આજીવન આ ઘટના નહીં ભૂલાય. ત્યારે હવે તથ્ય પટેલને લઈ એક સમાચાર સામે આવી રહ્યા છે કે આ નબીરા તથ્ય પટેલની દિવાળી જેલમાં થશે. તથ્યને જેલમાં જ દિવાળી કરવાનો વારો આવ્યો છે. જો કે એમના પિતાને થોડા સમય પહેલા કોર્ટે જામીન આપ્યા છે.
આજે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવવાની હતી પરંતુ નિર્ણય નથી લેવાયો. નિયમિત જામીન પર મુક્ત કરવા તથ્ય પટેલે હાઇકોર્ટમાં માગણી કરી હતી. જો કે મેળ ન પડ્યો અને હવે આ કેસમાં આગામી 1 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. એટલે કે આખો ડિસેમ્બર તથ્યને જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે.
બાળકના શરીર પર ઉભરી રહ્યા છે રામ-રામ અને રાધે-રાધે શબ્દો, ડોક્ટર પણ આશ્ચર્યચકિત
ધ્રુજતી ધરતી અને ડોલતી ઈમારતો… 2023માં 38 વાર ભૂકંપ આવ્યો, જતાં જતાં મોટો ઝાટકો આપવાની પુરી શક્યતા!
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
6 દિવસ પહેલાની વાત છે કે 1 નવેમ્બરે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટે 10 હજારના બોન્ડ પર આરોપી પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા. જેમાં વિવિધ શરતો રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞેશ પટેલે અકસ્માતવાળા સ્થળે લોકોને ધમકાવ્યા હતા અને આ મામલે તેના પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.