સરકારી ભરતીઓની ગેરરિતી ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાની ગેરકાયદેસર ધરપકડ કરવા બાબત પરેશ ધાનાણીએ CMને લખ્યો પત્ર

Lok Patrika
By Lok Patrika
Share this Article

મૌલિક દોશી (અમરેલી): પરેશ ધાનાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. જેમાં સરકારી ભરતીઓની ગેરરિતી ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાની ગેરકાયદેસર ધરપકડ કરવા બાબતનો ઉલ્લેખ છે. જે કંઈક આ પ્રમાણે છે.

ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ અન્ય વિભાગો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઇ અને સરકારી વિભાગોમાં અલગ અલગ કેડરની ભરતી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. જેમાં ખાસકરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગેરરિતીઓનું સમગ્ર કૌભાંડ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા બહાર પાડવામાં આવેલ અને સરકારે તેને સમર્થન આપેલ અને તેના કારણે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનની હકાલપટ્ટી કરવામાં આવેલ અને અન્ય જરૂરી પગલાઓ પણ ભરવામાં આવેલ છે.

રાજયમાં તમામ મોરચે નિષ્ફળ નિવડેલી ભાજપ સરકાર સામે તમામ ક્ષેત્રે આંદોલનો થઇ રહયા છે. ભાજપ સરકારની ભ્રષ્ટ નિતી અને આશ્રિતોને છાવરવાની નિતીની કારણે ગુજરાતનો યુવાન લાચાર બન્યો છે. તાજેતરમાં શિક્ષણ વિભાગને લગતા પડતર પ્રશ્નો બાબતે ગુજરાતના યુવા સંગઠન અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહેલ હતું તેને યુવરાજસિંહ જાડેજા દ્વારા સમર્થન આપેલ જેના કારણે સરકાર દ્વારા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડ કરી તેને જેલ હવાલે કરેલ છે જે કૃત્ય ગેરકાયદેસરનુ છે કારણ કે, આવા યુવા નેતા દ્વારા સરકારની એજન્સીઓ અને આયોગ દ્વારા થતી ગેરરિતીઓ ઉજાગર કરવાનું કામ કરેલ છે અને સરકાર પક્ષે કામગીરી કરેલ છે, જેથી આવા વિદ્યાર્થી નેતાઓને સરકારે પ્રોત્સાહીત કરવા જોઇએ તેના બદલે તેની ધરપકડ કરીને ભરતી કૌભાંડો તથા અન્ય ગેરરિતીઓ ઢાંકવાનું સરકાર કામ કરી રહેલ છે તે વ્યાજબી નથી.

આથી આપશ્રીની કક્ષાએથી અંગત રસ લઇ ધરપકડ કરવામાં આવેલ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ઉપર ગત તા.૫-૪-૨૦૨૨ના રોજ સેકટર-૨૧ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ એફ.આઇ.આર. રદ કરી તેઓને જેલમુકત કરવા મારી વિનંતી સહ ભલામણ છે.
આભાર સહ,પ્રતિ
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,
માન. મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજય, સચિવાલય, ગાંધીનગર.

(પરેશ ધાનાણી)


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly