આ તો અઘરૂં હો ભાઈ, અમદાવાદના વકીલે નૂપુર શર્માનો ફોટો સ્ટેટસમાં મૂક્યો તો મળી જાનથી મારી નાખવાની ધમકી, તમે ધ્યાન રાખજો બાપલિયા

Lok Patrika
By Lok Patrika
Share this Article

નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ નૂપુર શર્માના સપોર્ટમાં આગળ આવતા લોકોનો અલગ અલગ રીતે ધમકી આપવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદના યુવાન વકીલે તારીખ ૧૩ જૂને નૂપુર શર્માનું સ્ટેટસ મુક્યુ હતું. સ્ટેટસ મુક્યા બાદ તેમને મારી નાખવાની ધમકી મળી હતી. જેની ફરિયાદ વકીલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યુકે ધમકી આપનાર ગુજરાતના કચ્છ જિલ્લાનો યુવક છે. જેથી સાબરમતી પાલીસે યુવકને પકડવા ટીમો રવાના કરી છે.

ધમકીને ગંભીર રીતે લઈ વકીલે આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જાેગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ ૧૩ જૂને બપોરે વોટ્‌સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો.જાેકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી થોડી જ મિનિટમાં ડિલિટ કરી દીધો હતો.જાેકે ફોટો ડિલિટ કર્યાના ૨ કલાક બાદ કૃપાલભાઈને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ’ આથી કૃપાલભાઈએ તે નંબર બ્લોક કરી દીધો હતો.

ત્યારબાદ તે જ દિવસે બપોરે વકીલને મારી નાખવાની ધમકી આપી હતી.એવું પણ જાણવા મળ્યું કે લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ વકીલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરતા ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ ગુજરાતમાં કચ્છનો એક વ્યક્તિ હોવાનું સામે આવતા કચ્છ પોલીસનો સંપર્ક કરી સાબરમતી પોલીસે ટિમો રવાના કરી આરોપીને લાવવા તજવીજ હાથ ધરી છે.

તો ગત ૧ જુલાઇના રોજ સુરતના એક યુવક દ્વારા ઉદયપુરમાં નુપૂર શર્માના સમર્થનમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યાર બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બન્ને યુવક દ્વારા આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બદલ હવે સુરતના એક યુવકને ધમકી મળતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ યુવકની કમેન્ટ પર ફૈઝલ નામના એક યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી અને લખ્યું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.

સુરતના આ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પરિવારમાં ચિંતાની લાગણી જાેવા મળી. યુવકે અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે. રાજસ્થાનમાં કનૈયાલાલની હત્યાના પડઘા આખા દેશમાં પડયા હતા ત્યારે ગુજરાતમાં પણ કોઈ ઘટનાના ઘટે તે માટે સાયબર ક્રાઈમ સક્રિય થઈ છે.

નુપુર શર્માના નિવેદન પર કનૈયાલાલે માત્ર એક પોસ્ટ કરી હતી જે પોસ્ટ જ હત્યાનું કારણ બની ગયું હતું ત્યારે આવો જ કોઈ અણબનાવ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં ન બને માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે..જેમાં ખાસ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિવટર પર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખાસ સર્વેલનસ રાખવામાં આવી રહ્યું છે.જેથી હવે સોશિયલ મિડીયા પર સંકળાયેલા શંકાસ્પદ વ્યકિતઓમાંથી ૨૦૦થી ૩૦૦ લોકોની સ્થાનિક એજન્સીઓ દ્રારા તપાસ કરવામા આવી રહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly