ફરીથી ગુજરાતના પટેલો આકરા પાણીએ આવી ગયા, નરેન્દ્ર મોદી સ્ટેડિયનું નામ બદલવાને લઈ આખા રાજ્યમાં કરશે ચક્કાજામ, અલ્પેશ કથીરિયા પણ ભરશે હુંકાર

Lok Patrika
By Lok Patrika
Share this Article

મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયનું નામ બદલવાને લઈને હવે વિરોધ સામે આવ્યો છે. મોટેરાના સ્ટેડિયમનું રિનોવેશન થયા બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. એ સમયે પણ આ નામને લઈને વિરોધ સામે આવ્યો હતો. ત્યારે ફરી એકવાર વિરોધનો વંટોળ ઉઠ્‌યો છે. હવે સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને પાસનું પણ સમર્થન મળ્યું છે. પાસ દ્વારા પણ ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે.

પાસના નેતા અલ્પેશ કથીરિયાએ પણ આ યાત્રામાં જાેડાવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં સરદાર પટેલનું અપમાન ગણાવીને યાત્રા દ્વારા વિરોધ કરવામાં આવશે. જે અંતર્ગત આવતીકાલે રવિવારે બારડોલીથી અમદાવાદ સુધી સરદાર સન્માન સંકલ્પ યાત્રા યોજાશે, એવા અહેવાલ સામે આવ્યા છે. ૧૨ જૂન રવિવારે બારડોલી આશ્રમથી યાત્રા નીકળશે અને ૧૩ જૂન સોમવારે મોટેરા સ્ટેડિયમે પહોંચશે.

નોંધનીય છે કે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશન થયા બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયા બાદ પાટીદાર સમાજમાં રોષ જાેવા મળ્યો હતો. સરદાર પટેલનું નામ પનુઃસ્થાપિત કરવા માટે સરદાર સંકલ્પ આંદોલન સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જે અંતગર્ત ૧૨ જૂન રવિવારે બારડોલી આશ્રમથી યાત્રા નીકળશે અને ૧૩ જૂન સોમવારે અમદાવાદના મોટેરામાં આવેલા સ્ટેડિયમ સુધી યાત્રા યોજાશે.

આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જાેડાય એવી અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ, આ યાત્રાને પાસનું પણ સમર્થન મળ્યું છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં આ આંદોલન શરુ કરવામાં આવશે. સરદાર સન્માન સંકલ્પ દ્વારા અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ફરીથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવા માટે આંદોલન શરુ કરવામાં આવશે. જેથી બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, મોટેરામાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બન્યા બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. જેને લઈને વિવાદ ઊભો થયો છે. જેના વિરોધમાં સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly