Ahmedabad News: અમદાવાદમાં આજે કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે એવી પણ નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે મંગળવારની આગાહી કરતાં જણાવ્યું કે આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, અમરેલી, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે.
હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઇને આવે છે જેના કારણે આ વરસાદ થઇ શકે છે. પરંતુ પવનની ગતિ પણ વધારે છે જ, વાદળો બનશે પરંતુ બહું જલ્દી વાદળો જતા પણ રહેશે. આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઇ શકે તેવું થઇ શકે છે. અત્યારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ- પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહીમાં અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ખાબકવાની પણ શક્યતા છે. એનાથી વધારે વરસાદ થવાની શક્યતા નથી એવું પણ હવામાન વિભાગનું સ્પષ્ટ માનવું છે. આ સાથે તેમણે હાલ કમોસમી વરસાદ અંગેનું કારણ વિશે પણ વાત કરી છે.
દિલીપ જોશીના પુત્રના લગ્નની ક્ષણો, તારક મહેતા સ્ટાર કાસ્ટથી લઈને ફાલ્ગુની પાઠક સંગીતમાં જોડાયા
ગુજરાતમાં મંગળવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તાપમાનાં હાલ કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે ત્રણ ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય.