સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદનો બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક વિવાદાસ્પદ નિવેદન સામે આવતા રહે છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન થાય છે કે, હિન્દુ ધર્મમાં સાધુ, સંત અને સંન્યાસી આ ત્રણેયને સમાજ સર્વોચ્ચ માન અને સન્માન આપવામાં આવે છે. પરંતુ આજ ધર્મના સાધુ-સંત અને સમુદાયના લોકો જો ધર્મ અને ભગવાનનું અપમાન કરે તો સમાજનો ચહેરો શરમથી ઝુકી જાય છે. ત્યારે અનેક કલાકારો અને કથાકારો પણ સ્વીમાના નિવેદનોને વખોડી કાઢતા જોવા મળે છે. એ જ અરસામાં ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણી કરનાર સંતોને રાજભા ગઢવીએ આડે હાથ લીધા છે.
રાજભા ગઢવીએ વાત કરી કે ‘આ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ લોકોમાં ભગવાન શંકરને ઓળખવાની તાકાત નથી. તેમની લટને હલાવવાની પણ ત્રેવડ નથી અને ખોટી મોટી મોટી વાતો કરે છે. મારા ભગવાન વિશે બોલશે તો અમે પણ તેની સામે બોલીશું. જાણી જોઈને સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યારે-જ્યારે ભગવાનનું અપમાન થશે ત્યારે અમે ચૂપ નહીં બેસીએ.’ વધુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો દ્વારા કરાયેલ ટિપ્પણી અંગે લોકકલાકાર રાજભા ગઢવીએ આમાં માફી ન હોય, આ ગુનો છે એવી પણ વાત કરી હતી.
આ સાથે જ હજુ એક સંતનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમા તેઓ હનુમાનજીની ઉપેક્ષા કરતાં જોવા મળી રહ્યા છે. તેમાં તેઓ કહે છે કે ‘હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પરંતુ ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. જો એવા તો નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની સમાન જ પૂજનીય છે. આ બધા કોઈ ભગવાન નથી. આ તમામ ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે. એટલે કે તેઓ સંત છે. તેમને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય, ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કરી શકાય, પરંતુ હનુમાનજી મહારાજને ભગવાન ન કહી શકાય