દહેગામ ખાતે મીઠાના મુવાડામાં સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રની એકેડમીમાં સરકારી ભરતીની લાલચ આપી પૈસા પડાવતી ગેંગની આરોપી પૂજા ગફુરજી ઠાકોરે જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેની સામે તપાસ કરનાર અધિકારીએ એફિડેવિટ ફાઈલ કરીને એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના ૮૧ જેટલા લોકોને સરકારી નોકરી આપવાની લાલચે ઠગ્યા છે.
આરોપીઓ પાસેથી એક લાખ કેશ, ભરતીના ખોટા ફોર્મ, ડોક્યુમેન્ટ, પીએસઆઈનો યુનિફોર્મ, નકલી આઈકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે આરોપીઓએ ઉત્તરપ્રદેશથી પણ ઉમેદવારો પાસેથી ૨૫ લાખ ઉઘરાવ્યા છે ત્યારે આરોપીને જામીન ન આપવા જાેઈએ. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં થશે તેવું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાલીમ કેન્દ્ર નામની એકેડમી ચલાવતા હરિશ પ્રજાપતિએ પૂરવિંદરસિંગ, પૂજા ગફૂરજી ઠાકોર સહિત અન્યો સાથે મળીને ગુજરાતની વિવિધ સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી પૈસા પડાવતા હતા. જેમાં અમદાવાદ પોલીસે દહેગામ સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર નામની એકેડમી ચલાવતા હરીશ તેમજ પૂજા ઠાકોરની ધરપકડ કરી હતી.
આરોપી પૂજા ઠાકોરે પોતે ફિઝિકલ ભરતીમાં નાપાસ હોવા છતાં તેણે પાસ હોવાનો ખોટો સિક્કો લેટરપેટ પર માર્યો હતો. બીજી તરફ આરોપી પૂજાએ નિર્દોષ હોવાથી જામીન પર મુક્ત કરવી જાેઈએ તેવો મુદ્દો ઉઠાવી જામીન અરજી કરી હતી. તેના સામે મુખ્ય સરકારી વકીલે સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને જણાવ્યું હતું કે, મોટું સરકારી નોકરી આપવાનું કહીને લોકોને છેતરવાનું કૌભાંડ છે. આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નકારી શકાય નહીં. આ સમગ્ર કૌભાંડમાં ચાર જણાના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે.
દહેગામ રોડ પર વિવેકાનંદ તાલીમ કેન્દ્ર ખાતેના રૂમમાંથી એક મેગઝીન સાથે પિસ્ટલ, એક ખાલી મેગઝીન, એક પિસ્ટલ પાઉચ, બનાવટી, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, ધોરણ-૧૦ની બનાવટી માર્કશીટ, બનાવટી બોનોફાઈટ સર્ટિફિકેટ, બનાવટી ટ્રાયલ સર્ટિફિકેટ, બનાવટી ગ્રામ પંચાયતનો દાખલો અને બનાવટી પોલીસ પ્રમાણપત્ર મળી આવ્યા છે.
પોલીસ તપાસમાં આરોપીઓએ ઉત્તરપ્રદેશના ઉમેદવારો પાસેથી ૨૫ લાખ ઉઘરાવ્યા હતા, ઉપરાંત પીએસઆઈની ૩ ભરતી માટે ૩૦ લાખ, એલઆરડી પુરુષ તથા મહિલાની ૨૯ ભરતી માટે ૧.૩૬ કરોડ, તલાટી કમ મંત્રી વર્ગ-૩ની ૬ ભરતી માટે ૩૦ લાખ, જુનિયર કલાર્કની એક ભરતી માટે ૨.૫૦ લાખ, ઈન્ડિયન આર્મી રિક્રુટમેન્ટની ૧૧ ભરતી માટે ૧૪.૪૦ લાખ, છસ્ઝ્રની ૩ ભરતી માટે ૪.૫૦ લાખ મળી કુલ ૬૦ ભરતીમાં ૨.૧૭ કરોડ રૂપિયા ઉઘરાવ્યાનું સામે આવ્યું છે.