આજે સવારે જ બધાને સમાચાર મળ્યા કે તથ્ય પટેલ નામના યુવાને અમદાવાદ ઈસ્કોન બ્રિઝ પર 9 લોકોનો ભોગ લીધો છે. હવે તેમના વકીલે નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો.
તેમણે જણાવ્યું કે ગાડીની સ્પીડ 160ની નહોતી, રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થયું હતું, લાઈવ ટ્રાફિક હતું અને વરસાદ પણ ચાલું હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. તપાસમાં બધું સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ.
અમદાવાદ ઈસ્કોન અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનાર નબિરા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે દીકરાનો બચાવ કર્યે છે. વકીલે પણ માનવતા નેવે મુકી છે. પ્રજ્ઞેશ પટેલે દીકરાનો બચાવ કરતા કહ્યું કે ઘટનાની જાણ થતાં હું ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા, એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
આગળ વાત કરી કે તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું. તથ્ય ઘરેથી 11 વાગ્યે કેફેમાં જવા માટે નીકળો હતો, અકસ્માત સમયે ગાડીમાં તેના મિત્રો હતો. જેમાં ત્રણ યુવતીઓ હતી, તે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવવા તૈયાર છે. પોલીસનો ફોન આવશે ત્યારે તેઓ પોલીસ સ્ટેશન પણ જશે અને પોતાની વાત રાખશે.