હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં હજુ આજે તથા આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજયના ૫૯ તાલુકાઓમાં ૧થી ૪ ઈંચ સુધી વરસાદ થયો છે. હવામાન વિભાગે દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.
જેમાં કચ્છના કપરાડામાં ૪ ઈંચ, મહેસાણાના જાેટાણામાં ૩ ઈંચ, વાપી-કપરાડામાં ૨.૫ ઈંચ, ભચાઈમાં ૨ ઈંચ, રાધનપુરમાં ૨ ઈંચ, ભિલોડામાં ૨ ઈંચ, હિંમતનગર અને પાટણમાં ૧.૫ ઈંચ વરસાદ થયો છે. શહેરમાં શનિવારે રાત્રે ૯ વાગ્યા સુધીમાં ઘણાં ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધારે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં નોંધાયો હતો. ૧.૨ ઈંચ કેટલાક વિસ્તારોમાં ૨ ઈંચથી વધુ વરસાદ થયો હતો.
રખિયાલમાં ૩ ઈંચ, મણિનગરમાં ૩ ઈંચ, વટવામાં ૨.૯ ઈંચ અને રામોલમાં ૨.૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં પાલડીમાં ૨.૧ ઈંચ અને બોડકદેવ, બોપલ, સાયન્સ સિટી, જાેધપુર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. ભારે વરસાદ બાદ શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં ત્રિપદા સોસાયટી અને મધુવન સોસાયટી પાસે આવેલા ગોરનો કૂવોમાં રણજીત પ્રજાપતિ નામના વ્યક્તિને કરંટ લાગવાની ઘટનામાં મોત થઈ ગયું હતું.
કરંટ લાગતા રણજીત પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જાેકે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો. પોલીસને બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચીને ટોરેન્ટની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી. અમદાવાદમાં આજે તથા આવતીકાલે પણ વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં કેટલાક ઠેકાણે ભારે વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડમાં વરસાદ થવાની આગાહી છે.